Book Title: Upmiti Bhav Prapancha Katha Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 54
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ ઉત્પન્ન થાય છે. અગૃહીતસંકેતા કહે છે – હે પ્રિય સખી, જો સમસ્ત જગતનાં માતા-પિતા એવાં પણ દેવી અને રાજામાંથી દેવીનું વંધ્યાપણું અને રાજાનું નિર્ભીકપણું દુર્જનના ચક્ષુદોષતા ભયથી અવિવેકાદિ મંત્રીઓ વડે લોકમાં પ્રખ્યાપન કરાયું તો કેમ હમણાં આ ભવ્યપુરુષ બેના પુત્રપણાથી મહોત્સવના કલકલથી પ્રકાશિત કરાયો ? પ્રજ્ઞાવિશાલા કહે છે – આના પ્રકાશમાં જે કારણ છે તેને સાંભળ – આ જ નગરમાં શુદ્ધસત્યવાદી સમસ્ત સત્વતા સંઘાતને હિતકરનાર=સમસ્ત જીવોના સમૂહના હિતને કરનાર, સર્વભાવોના સ્વભાવને જાણનાર, અને આ કાલપરિણતિ અને કર્મપરિણામ રૂ૫ દેવી અને રાજાનાં સમસ્ત રહસ્યોનાં સ્થાનોના અત્યંત ભેદને જાણનાર સદાગમ નામનો પરમ પુરુષ છે અને તેની સાથે મારી ઘટના છે=સંપર્ક છે, અને તે અત્યદા મારા વડે સહર્ષ જોવાયો. આગ્રહથી હર્ષનું કારણ પુછાયું. __ भव्यपुरुषजन्मतः सदागमस्य हर्षः तेनोक्तम्-‘आकर्णय भद्रे! यदि ते कुतूहलं, येयं कालपरिणतिर्महादेवी, अनया रहसि विज्ञापितो राजा, यदुत-निविण्णाऽहमेतेन[मनेन. मु] आत्मनोऽलीकवन्ध्याप्रवादेन, यतोऽहमनन्तापत्यापि दुर्जनचक्षुर्दोषभयादविवेकादिभिर्मन्त्रिभिर्वन्ध्येति प्रख्यापिता लोके, ममैवापत्यान्यन्यजनापत्यतया गीयन्ते, सोऽयं स्वेदजनिमित्तेन शाटकत्यागन्यायः। तदिदं वन्ध्याभावलक्षणं ममायशःकलङ्क क्षालयितुमर्हति देवः। ततो नृपेणोक्तं-देवि! ममापि निर्बीजतया समानमेतत्, केवलं धीरा भव, लब्धो मया अयशःपङ्कक्षालनोपायः। देव्याह-कतमोऽसौ ? प्रभुराह-देवि! अस्यामेव मनुजगतौ महाराजधान्यां वर्तमानया भवत्या मन्त्रिमण्डलवचनमनपेक्ष्य प्रकाश्यते प्रधानपुत्रस्य जन्म, क्रियते महानन्दकलकलः, ततश्चिरकालरूढमप्यावयोर्निर्बीजत्ववन्ध्याभावलक्षणमयशःकलङ्क क्षालितं भविष्यतीति। ततः सतोषया प्रतिपनं महाराजवचनं देव्या, कृतं च यथाऽऽलोचितं ताभ्याम्। ततः प्रज्ञाविशाले! योऽयं भव्यपुरुषो जातः स ममात्यन्तवल्लभः, अस्य जन्मनाऽहमात्मानं सफलमवगच्छामि' इत्यतो हर्षमुपागत इति। ततो मयोक्तं-शोभनं ते हर्षकारणं, तदयं अनेन कारणेन भव्यपुरुषो देवीनृपपुत्रतया प्रकाशितः इति। ભવ્યપુરુષના જન્મથી સદાગમને થયેલ હર્ષ તેમના વડે કહેવાયું=સદાગમ નામના પરમપુરુષ વડે કહેવાયું – હે ભદ્ર ! જો કુતૂહલ છે=મારા હર્ષના કારણને જાણવાની જિજ્ઞાસા છે તો સાંભળ, જે આ કાલપરિણતિ મહાદેવી છે એના દ્વારા એકાંતમાં રાજા વિજ્ઞાપત કરાયો, શું નિવેદન કરાયું તે “યહુતીથી કહે છે. હું આ પોતાના જૂઠા વંધ્યાના પ્રવાદથી ઉદ્વિગ્ન થઈ છું. જે કારણથી અનંત આપત્યવાળી પણ હું અનંત પુત્રવાળી પણ હું, દુર્જનચક્ષના દોષના ભયથી અવિવેકઆદિ મંત્રીઓ વડે વંધ્યા એ પ્રમાણે જાહેર કરાઈ છું, મારા જ

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146