________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ
૬૩
પ્રગટ કરવા માટે મહાવીર્યના યોગવાળા થાય છે. તે જીવોમાં મહાવીર્યને પ્રગટ કરવા પ્રત્યે સદાગમ જ કારણ છે. [૨૧] શ્લોક :
अन्यच्च ये महापापा, निर्भाग्याः पुरुषाधमाः ।
न ते सदागमस्यास्य, नामापि बहु मन्यते ।।२२।। શ્લોકાર્ચ -
અને અન્ય જેઓ મહાપાપી છે, નિર્ભાગ્યશેખર છે, પુરુષાધમ છે તેઓ આ સદાગમના નામને પણ બહુ માનતા નથી. ||રરા શ્લોક :
ततस्तेन नरेन्द्रेण, ते पूर्वोक्तविधानतः ।
संसारनाटकेनोच्चैः, कदर्थ्यन्ते निरन्तरम् ।।२३।। શ્લોકાર્થ :
તેથી તે રાજા વડે પૂર્વોક્ત વિધાનથી પૂર્વમાં કહેલું કે જેઓ સદાગમને માનતા નથી તેઓને કર્મપરિણામરાજા અત્યંત નચાવે છે એ પ્રકારના કથનથી, તે જીવો સંસારનાટકથી નિરંતર અત્યંત કદર્થના કરાય છે. III શ્લોક :
य एव भाविकल्याणाः, पुण्यभाजो नरोत्तमाः ।
ते सदागमनिर्देशं, कुर्वन्ति महदादरात् ।।२४।। બ્લોકાર્ય :
જેઓ જ ભાવિકલ્યાણવાળા, પુણ્યશાળી નરોતમ છે, તેઓ મહાન આદરથી સદાગમના નિર્દેશને કરે છે=જે પ્રમાણે સદાગમે પોતાની શક્તિ અનુસાર જે અનુષ્ઠાન કરવાનું કહ્યું છે તે પ્રમાણે તેઓ કરે છે. ર૪ll. શ્લોક :
ततोऽपकर्ण्य राजानं, ते विडम्बनकारिणम् ।
संसारनाटकान्मुक्ता, मोदन्ते निवृतौ गताः ।।२५।। શ્લોકાર્ય :તેથી=પુણ્યશાળી એવા તે જીવો સદાગમના નિર્દેશ કરે છે તેથી, વિડંબના કરનારા એવા