Book Title: Upmiti Bhav Prapancha Katha Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 115
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ तथाऽन्ये च ये तज्जातीयाः । बलाधिकृतेनोक्तम्-त्वमेव जानीषे, तत्किमत्रोक्तेन ? ततो निर्गता भवितव्यता, आगता मम समीपे कथितो व्यतिकरः । मयोक्तम् - यद्देवी जानीते, ततः समुच्चलितोऽहमन्ये च मज्जातीयास्तन्नियोगाभिप्रेतसङ्ख्यानुसारेण उक्तौ च भवितव्यतया महत्तमबलाधिकृतौ यदुत मया युवाभ्यां चामीभिः सह यातव्यं, यतो भर्तृदेवता नारीति न मोक्तव्यो मया संसारिजीवो, यतश्चास्ति युवयोरपि प्रतिजागरणीयमेकाक्षनिवासं नाम नगरं, तत्रामीभिर्लोकैः प्रथमं गन्तव्यं, अतो युज्यते युवाभ्यां सहैवामीषां तत्राऽऽसितुं, नान्यथा । GC તીવ્ર મોહોદય, અત્યંત અબોધ અને ભવિતવ્યતાની સાથે સંસારી જીવનો અવ્યવહાર નિગોદમાંથી નિર્ગમ - અને મારી ગૃહિણી એવી તે ભવિતવ્યતાના સંબંધી આ ગુણસમૂહને=પૂર્વમાં વર્ણન કર્યું એ ગુણસમૂહને, તે અત્યંતઅબોધ અને બલાધિકૃત જાણે જ છે, તેથી પર્યાલોચન કરતા એવા તેના ચિત્તમાં=અત્યંતઅબોધના ચિત્તમાં, પરિસ્ફુરણ થાય છે. તેથી અત્યંતઅબોધ બલાધિકૃતને કહે છે અરે ! કેમ હું આ પ્રમાણે ઉપાય વિદ્યમાન હોતે છતે ચિંતાથી આત્માને આકુલ કરું છું ? જે કારણથી તે સંસારી જીવની પત્ની ભવિતવ્યતા અહીં=અસંવ્યવહાર નગરમાંથી સંવ્યવહાર નગરમાં, પ્રસ્થાપનાને ઉચિત જે લોકો છે તેઓનું સ્વરૂપ જાણે જ છે. આથી તેને જ બોલાવીને હું પૂછું. ત્યારપછી તીવ્ર મહોદયને તેના વડે=અત્યંતઅબોધ વડે, પોતાનો અભિપ્રાય કહેવાયો, આ સુંદર છે એ પ્રમાણે તેને પણ=તીવ્ર મહોદયને પણ, તેણીને=ભવિતવ્યતાને, બોલાવું બહુમત થયું. ત્યારપછી પુરુષ મોકલાવાયો, ભવિતવ્યતા બોલાવાઈ, વેગથી=ત્વરાથી, ભવિતવ્યતા આવી, પ્રતિહારી વડે પ્રવેશ કરાવાઈ=સભાગૃહમાં પ્રવેશ કરાવાઈ, મહાપ્રભાવવાળી આ છે. સર્વ પણ સ્ત્રી ખરેખર દેવતા છે એ પ્રમાણે વિચારીને મહત્તમ અને બલાધિકૃત દ્વારા તેણીનું=ભવિતવ્યતાનું, વાચિક પાદપતન કરાયું. તેણી વડે આશીર્વાદ દ્વારા તે બંને અભિનંદિત કરાયાં. આસન અપાયું, ભવિતવ્યતા બેઠી, ત્યારપછી મહત્તમ વડે બલાધિકૃતને અભિમુખ પોતાની ભૂલતા ચલાવાઈ=ભૂલતાથી ઇશારો કરાવાયો. ત્યારપછી=મહત્તમ વડે ઇશારાથી બલાધિકૃતને કથન કરવાનું કહ્યું ત્યારપછી, તેના વડે=બલાધિકૃત વડે, તેણીને=ભવિતવ્યતાને, તદ્ધિયોગનો વ્યતિકર કહેવાનો આરંભ કરાયો. તેથી=બલાધિકૃતે તનિયોગનો વ્યતિકર કહ્યો તેથી, તેણી વડે હસાયું, તે બલાધિકૃત કહે છે – હે ભદ્રે ! આ શું છે ?=કેમ તારા વડે હસાયું ? ભવિતવ્યતા કહે છે કાંઈ નહીં, બલાધિકૃત વડે કહેવાયું – તો કેમ અકાંડે હસાયું ?=કંઈ પ્રયોજન ન હોય તો કેમ નિરર્થંક હસાયું ? ભવિતવ્યતા કહે છે — જે કારણથી આ કંઈ નથી આથી જ=તદ્નિયોગનો વ્યતિકર તે મને કહ્યો એ કોઈ પ્રયોજનવાળો નથી આથી જ, હસાયું. બલાધિકૃત વડે કહેવાયું કેમ આ કથન નિરર્થક છે ? ભવિતવ્યતા કહે છે ખરેખર તું અત્યંતઅબોધ છે, જે તું આ પણ વ્યતિકરને મને કહે છે. હું આવા પ્રકારના વ્યતિકરોમાં છું કૃત ઉદ્યોગવાળી તેથી તું મને આવો વ્યતિકર કહે છે તે તું - =

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146