Book Title: Shrimad Rajchandra Granthma Ullikhit Vyaktio Tatha Granthono Parichay
Author(s): Ashok Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 58
________________ ત્યાગવૃત્તિ રાખતા હ .તિઓ તથા ગ્રંથોનો પરિચય (૮૮) ધોરીભાઈ પણિયા શ્રાવક જેવા સંતોષી ભાદરણના એક જૈન પાટીદાર ઘોરીભાઈ નામે જ હતા. તે શાશ્રવણ વાચન વિચારમાં કાળ ગાળતા તથા યથાશક્તિ નિ રાખતા હતા. નાનપણથી ખૂબ જ સંસ્કારી અને ધર્મપ્રેમી હતા. ચાર-પાંચ • તેમણે મુખપાઠ કરેલા. પરણવાની ઇચ્છા નહીં. છતાં નાનપણમાં લાલાબા વા સંસ્કારી પુણ્યાત્મા સાથે સગપણ થયેલું. એમણે એમના સસરાને રાવેલ કે તમારી દીકરીને બીજે કોઈ ઠેકાણે પરણાવો. મેં તો જાવજીવ ઈની પ્રતિજ્ઞા લીધી છે. લાલાબાએ એમના પિતાને કહેલું કે મારે તો ભગત છે જ પરણવું છે. ભગત જેમ કહેશે તેમ કરીશ, હું પણ જાવજીવ બ્રહ્મચર્ય પાળીશ. લાલાબાની વૃઢ પ્રતિજ્ઞા જોઈને ભગત પરણ્યા. ભગત અને લાલાબા એકાંતરા ઉપવાસ કરતા. બહુ જ થોડી રકમ (રૂ.૧૦૦) ના વ્યાજની આવકમાંથી આજીવિકા ચલાવતા અને બ્રહ્મચર્ય પાળી ઘર્મારાઘન કરતા. ઘંઘો રોજગાર તે કરતા નહીં, અને કોઈ પણ પાસેથી કંઈ પણ ન લેવાની પ્રતિજ્ઞાનું બરાબર પાલન કરતા. બહું જ સાદું જીવન ગાળતા. શ્રીમદ્ રાજચંદ્ર કાવિઠામાં નિવૃત્તિ અર્થે પઘાર્યા તે પહેલાં ઘોરીભાઈ આ ચરોતર પ્રદેશમાં જૈન ઘર્મના જાણકાર તરીકે લોકોમાં પ્રખ્યાત હતા. તેથી શેઠ ઝવેરચંદ ભગવાનદાસે તેમને સમાગમ અર્થે બોલાવેલા અને ચરોતરમાં શ્રીમદ્જી જ્યારે જ્યારે આવતા ત્યારે તેમના સત્સમાગમનો લાભ તે ચૂકતા નહીં. એકદા ગામની બહાર વગડામાં પ્રથમ સમાગમે પરમકૃપાળુદેવે કહ્યું, “ભગત, શ્રી આનંદઘનજીનું મલ્લિનાથ ભગવાનનું સ્તવન બોલો.' ભગત એ સ્તવન ઉલ્લાસથી બોલ્યા. ફરી બીજી વખત બોલો એમ આજ્ઞા મળતા બીજી વખત બોલ્યા. અગિયારમી વખત બોલતાં બોલતાં ઘોરીભાઈના ભાવ ખૂબ જ વધ્યા અને પરમ કૃપાળુદેવના ચરણમાં ઢળી પડ્યા. તે વખતે પરમકૃપાળુદેવે અનંત અનંત કરુણા કરી. ઘોરીભાઈએ ગામમાં આવીને રતનચંદ શેઠ તથા ઝવેરચંદ શેઠને ખૂબ જ ઉલ્લાસથી કહ્યું કે, આ તો સાક્ષાતુ કેવલી. ઘોરી ભગતને સુદ્રઢ શ્રદ્ધા બેસી ગઈ. એક વખતે કોઈ આંબો સાચવનાર ભાઈ પાસે જઈને તેઓ ઘર્મની વાત કરતા eતી, તે વખતે તે ભાઈને વિચાર થયો કે ઘોરીભાઈ આવ્યા છે, તો કેરી પાડી તેમને રાયા ખવરાવીએ. તેથી ઝડિયું લઈ ઊઠ્યો એટલે ઘોરીભાઈએ કહ્યું, કેમ? શું 13 છે? તેણે કહ્યું. તમે આવ્યા છો તો કેરી પાડી ચીરીયાં કરીએ. તેમણે કહ્યું છે, આ કેરીઓ તેમની માને ઘાવી રહી છે, તેમને તું હણે તે મારાથી નહીં ખવાય” તેથી તેણે કેરી પાડવાનું પડતું મૂક્યું Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130