________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯: ૧૫ સમયસાર' ની આ ૪૯ મી ગાથામાં ભગવાનની વાણી અલૌકિક છે. પ્રભુ! આવી વાણી !! જૈન વીતરાગ સિવાય, દિગમ્બરધર્મ સિવાય, આ વાત ક્યાંય નથી. એમાં ( દિગમ્બરમાં) જમ્યા, એને પણ એની ખબર નથી !
અહીં કહે છે કેઃ (લોક) તે શય છે. શયનો અર્થ વ્યવહાર. (તે) પણ શેયમાં આવી ગયો ને...! દેવ-ગુરુ-શાસ્ત્ર પણ “શય માં આવી ગયા; મારાપણામાં આવ્યા નહીં. “પંચ પરમેષ્ઠી મારા ઇષ્ટ છે” એવું અહીં આવ્યું નહીં. પંચ પરમેષ્ઠી પણ “આ આત્મા” થી બાહ્ય ચીજ, વ્યક્ત ચીજ, “જ્ઞય” છે અને તે “વ્યક્ત” છે. અને જીવથી તે “અન્ય” છે. જીવ અન્ય છે, માટે તે “અવ્યક્ત” છે, તે જ ઉપાદેય છે. છ દ્રવ્ય અને રાગાદિ વિકલ્પથી ભિન્ન, અંદરમાં ભગવાન પૂર્ણ શુદ્ધ અવ્યકત જે ચીજ છે તે અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય શાંતિ.. શાંતિ. શાંતિથી લબાલબ ભરેલો શાંત.. શાંત.. શાંત છે.
ઉપશમ રસ વરસે રે! પ્રભુ તારા નયનમાં”. “ઉપશમ રસ વરસે રે! પ્રભુ તેરે નયનમે.... તારી ચીજમાં તો શું કહેવું!! પણ તારા નયનમાં અને શરીરમાં પણ ઉપશમરસ ઢળી ગયો છે! એવો ઉપશમરસ અકષાય વીતરાગમૂર્તિ પ્રભુ-એને અહીં “અવ્યક્ત' કહે છે. અને એ (વીતરાગમૂર્તિ) પરથી ભિન્ન “અવ્યક્ત” છે. (અન્ય છે) એટલે “અવ્યક્ત' છે. એટલા માટે “ઉપાદેય છે. એટલા માટે તે જ “જીવ' છે. એટલા માટે તે જ “ધ્રુવ છે. એટલા માટે તે જ એક “દષ્ટિ” નો વિષય- “આદરવા લાયક છે.'
ભગવાન! આ કોઈ કથાવાર્તા નથી. આ તો ભગવસ્વરૂપ પરમાત્મા, પોતાની ચીજ શું છે-એની કથા કહી. આહા.... હા! ભગવત-કથા આ છે. “નિયમસાર” માં છે છેલ્લી ગાથામાં “ભગવત-કથા” “ભગવસ્વરૂપ.”
જેણે પોતાના અવ્યક્ત સ્વરૂપને ઉપાદેય જાણ્યું-એને અહીં “નાબ' કહ્યું છે. આદેશ કર્યો છે. મુનિ આચાર્ય છે ને..? આચાર્ય આદેશ કરે છે. પ્રભુ ! તું જીવ અવ્યક્તને જાણ ! એ જ ઉપાદેય છે. અને એ જ આત્મા છે. અને એ જ આત્મા અન્યથી (છ દ્રવ્યસ્વરૂપ લોકથી) ભિન્ન છે. એને આદરણીય કરવાથી તારી પર્યાયમાં-અવસ્થામાં સમ્યગ્દર્શન, જ્ઞાન અને આનંદ તને ઉત્પન્ન થશે. આહા.. હા ! એનું નામ ધર્મની શરૂઆત છે. આવી વાત છે!! એ વાત સામાન્યપણે કહી હતી, એનો હવે વિસ્તાર કરીને એના (બીજા) પાંચ બોલ કહે છે.
હવે બીજો બોલઃ [ “pષયવાવભાવકplખ્યત્વતિ” “કષાયોનો સમૂહું જે ભાવકભાવ વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે.” ] થોડુંક આજે લેવાનું છે. “કષાયોનો સમૂહ” એ કષાય એમ તો શેયમાં જાય છે. કષાય વ્યક્તમાં જાય છે. શું કહ્યું? – પહેલાં જે કહ્યું કે જે છ દ્રવ્યસ્વરૂપ લોક જ્ઞય છે, તેમાં કષાય પણ આવી ગયો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com