________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪: પ્રવચન નવનીત ભાગ-૧ બધાંને, અજીવમાં નાખી દીધાં- “આ” જીવ નહિ. હે જીવ! તું એમ જાણ... કે, છ દ્રવ્યસ્વરૂપ જે લોક. mય છે-તેનાથી, તું ભિન્ન છે! અને છ દ્રવ્યસ્વરૂપ જે લોક છે તે વ્યક્ત છે, બાહ્ય છે, પ્રગટ છે, અન્ય છે; અને તું અંતરમાં સૂક્ષ્મ છે. આહા... હા ! પ્રભુ! તું તો અંતરમાં અવ્યક્તસૂક્ષ્મ છે ને...? એને અમે “જીવ’ કહીએ છીએ. અને તેને કહીએ છીએ કે હે જીવ! “અવ્યક્ત” ને તું જાણ ! “અવ્યક્તને જાણ” તો “જાણ” એ તો પર્યાય થઈ. (પાઠમાં) દરેકમાં “નાબ” આવ્યું ને...?! રસ ના.... જીવન ના.... વ્ય$ ના . નિર્લિંખમ ના.. આહા... હા ! શું એની શૈલી !!
“છ દ્રવ્યસ્વરૂપ લોક છે” (તેમાં) અનંત સિદ્ધો છે, અનંત પંચ પરમેષ્ઠી થયા, છે અને થશે–એ બધા, તારી ચીજથી ભિન્ન, જ્ઞય છે. આહા... હા! અને તારી ચીજ જયારે “અવ્યક્તી’ છે, બાહ્યમાં નથી; તો તારા હિસાબે તે સર્વજ્ઞ અને પંચ પરમેષ્ઠી આદિ બાહ્ય અને “વ્યક્ત” છે, mય છે. એનાથી તારી ચીજ અન્ય છે. આહા... હા! એક શબ્દમાં કેટલું ભર્યું છે!! એનાથી જીવ અન્ય છે. એનાથી ભગવાન અંદર અન્ય છે- એને (અવ્યક્તને) ઉપાદેય જાણ! એ (અવ્યક્ત) સમ્યગ્દર્શનનો વિષય છે. સમ્યગ્દર્શન, ચોથે ગુણસ્થાન હજુ તો સમકિત..! શ્રાવક (પંચમગુણસ્થાન) તો ક્યાંય રહી ગયા, એ તો શું દશા છે! અને મુનિ (ભાવલિંગ) એ તો શું દશા !! એ તો અત્યારે તો.?
અહીં તો એમ કહે છે કે: એ બધાથી “જીવ’ અન્ય છે. અને જીવથી એ (બધા) અન્ય છે. તો વ્યવહારરત્નત્રયનો વિકલ્પ આવ્યો, એ રાગ: દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા, દયા-દાનનો ભાવ-વિકલ્પ, એનાથી પણ, જીવ! તું ભિન્ન છે. અને તારી જીવ ચીજથી એ ચીજ ભિન્ન છે. આહા... હા ! આવી વાત છે, ભગવાન !!
પછી સોનગઢના નામે એમ કહે કે, એ તો “નિશ્ચયાભાસ' છે.. પણ, ભગવાન! નિશ્ચય' કહો. એ તો તારી ચીજની તને ખબર નથી, ભગવાન! આહા. હા! “વ્યવહારથી નિશ્ચય થાય છે. અહીં એનો પણ નિષેધ કર્યો છે. અને “નિમિત્તથી ઉપાદાનમાં (કાર્ય) થાય છે' તેનો પણ નિષેધ કર્યો. નિમિત્ત અને વ્યવહાર તો “ય” ને “વ્યક્ત' છે.
કુંદકુંદ આચાર્ય પ્રભુ કહે છે કે એકવાર નાળ! મળતું નીવન ના. આ તો હુજી એક બોલ ચાલ્યો. ગઈ કાલે પણ પોણો કલાક ચાલ્યો હતો. ને? અજીવનું રહી ગયું હતું. આ તો એની સાથે થોડો વિચાર આવ્યો. અવ્યક્તનો અર્થ “સૂક્ષ્મ” છે. સંસ્કૃત ટીકામાં છે. (જયસેનાચાર્ય) અવ્યક્તનો અર્થ જ સૂક્ષ્મ કર્યો છે.
જિજ્ઞાસા: કેવળજ્ઞાનથી પણ સૂક્ષ્મ છે?
સમાધાનઃ કેવળજ્ઞાન, પર્યાય છે. તેનાથી સૂક્ષ્મ ત્રિકાળી (દ્રવ્ય) છે. પર્યાયને તો એક નયથી “નિયમસાર” માં પરદ્રવ્ય કહ્યું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com