________________
'
9
તા. ૧૬-૧-૯૪
પ્રબુદ્ધ જીવન
સુધી એમ આઠ દિવસની પર્યુષણ વ્યાખ્યાનમાળા શ્રી સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી બિરલા કીડા કેન્દ્ર, ચોપાટી, મુંબઈ ખાતે યોજવામાં આવી હતી. આ આઠેય દિવસની વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાન ડૉ. રમણલાલ ચી. શાહે શોભાવ્યું હતું. ગત વર્ષની માફક આ વર્ષે પણ ક્લોઝ સરકીટ ટી. વી. ની વ્યવસ્થા રાખવામાં આવી હતી. વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાતાઓ અને વિષયોની વિગતો આ પ્રમાણે છે.
— પૂ. સાધ્વી શ્રી જીનબાળાજી-જૈન જીવન શૈલી — પૂ. સાધ્વી શ્રી જયંતપ્રભાશ્રીજી-પશ્ચાતાપના આંસુ [ શ્રીમતી છાયબહેન પી. શાહ-પ્રતિક્રમણની પવિત્રતા [] ડૉ. શેખરચંદ્ર જૈન-કર્મકી વૈજ્ઞાનિકતા
— પ્રો. ગુલાબ દેઢિયા-આર્જવ
— ડૉ. નરેશ વેદ-ઉપનિષદોનું તત્ત્વજ્ઞાન
[] ડૉ. શશિકાંત શાહ-જીવનવ્યવહારમાં સમયનું વ્યવસ્થાપન [ શ્રી મદનરાજ ભંડારી-વનસ્પતિ જગત, પર્યાવરણ એવમ્ માનવતા [] શ્રી નેમચંદ ગાલા-જન્મ પુર્નજન્મ
ડૉ. રમણલાલ ચી. શાહ-અનર્થ દંડ
શ્રી વસંતભાઈ ખોખાણી-પૂર્ણ યોગના મહાયોગીન્દ્ર શ્રીમદ રાજચંદ્ર — ડૉ. સુષમા સંધવી-ખડાવશ્યક એક નિરુપણ
[] ડૉ. હુકમચંદ ભારિલ્લ-ભગવાન મહાવીર ઔર ઉનકી અહિંસા [ પ્રા. તારાબહેન ર. શાહ-અનેકાંતવાદ
— ડૉ. સાગરમલ જૈન-સમભાવી સાધના હી સામાયિક હૈ 2 પ્રા. તારાબહેન ર. શાહ-ધર્મધ્યાનની ચાર ભાવના
આ વ્યાખ્યાનમાળા દરમિયાન દરરોજ વ્યાખ્યાનનાં પ્રારંભ પહેલાં એક ક્લાકનો ભક્તિ સંગતીનો કાર્યક્રમ સર્વશ્રી ચંદ્રાબહેન કોઠારી, ઈન્દુબહેન શાહ, જ્યોત્સનાબહેન વોરા, મનમોહન સાયગલ, અલકાબહેન શાહ, અવનીબહેન પારેખ, શોભાબહેન સંઘવી અને મીરાંબહેન શાહે આપ્યો હતો. અમે શ્રી સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટના, સર્વ વ્યાખ્યાતાઓના, સંગીતકારોના તથા સહકાર આપનાર સર્વના આભારી છીએ.
આનંદઘનજીનાં સ્તવનો પર ભક્તિ સંગીત અને પ્રવચનો : સંધના ઉપક્રમે આનંદધનજીનાં સ્તવનો પર, ભક્તિસંગીતનો કાર્યક્રમ તા. ૧૭, ૧૮, માર્ચ, ૧૯૯૩ના રોજ પરમાનંદ કાપડિયા હોલમાં સાંજના સમયે યોજવામાં આવ્યો હતો. શ્રીમતી પૂર્ણિમાબહેન સેવંતીલાલ શેઠે આનંદઘનજીનાં સ્તવનો મધુર કંઠે રજૂ કર્યા હતા. તે પર ડૉ. રમણલાલ ચી. શાહે વિવેચનાત્મક પ્રવચનો આપ્યાં હતા. આ કાર્યક્ર્મ માટે ડૉ. રમણભાઈ શાહ, શ્રીમતી પૂર્ણિમાબહેન શેઠ અને સંયોજક શ્રીમતી રમાબહેન વોરાના અમે આભારી છીએ.
વિદ્યાસત્ર : સંધના ઉપક્રમે સ્વ. મંગળજી ઝવેરચંદ મહેતા પ્રેરિત વિદ્યાસત્રના વ્યાખ્યાનો શનિવાર, તા. ૨૭મી માર્ચ, ૧૯૯૩ના રોજ ઈન્ડિયન મરચન્ટ્સ ચેમ્બરના કમિટિરૂમમાં યોજવામાં આવ્યાં હતાં. સર્વોદય કાર્યકર અને પ્રખર ચિંતક શ્રી નારાયણ દેસાઈએ ‘મહાદેવભાઈ, અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' એ' વિષય ઉપર તથા દેશની વર્તમાન પરિસ્થિતિ અને સાંપ્રદાયિકતા' એ વિષય પર અભ્યાસપૂર્ણ વ્યાખ્યાનો આપ્યાં હતાં. કાર્યક્રમના સંયોજક તરીકે પ્રા. તારાબહેન ર. શાહે સેવા આપી હતી. અમે વિદ્રાન વ્યાખ્યાતાના અને કાર્યક્રમના સંયોજક બહેનશ્રીના આભારી છીએ.
વાર્ષિક સ્નેહમિલન : શ્રીમતી વિદ્યાબહેન મહાસુખભાઈ
૧૧
ખંભાતવાળાના અર્થિક સહયોગથી સંધના સર્વ સભ્યોનું વાર્ષિક સ્નેહ મિલન રવિવાર, તા. ૨૮મી માર્ચ, ૧૯૯૩નાં રોજ સવારના ૧૦-૩૦ વાગે બિરલા ક્રીડા કેન્દ્રમાં યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રીમતી ચંદ્રાબહેન કોઠારીએ મહાવીર વંદનાના ભક્તિસંગીતનો સુંદર કાર્યક્રમ આપ્યો હતો. સંધના પ્રમુખ ડૉ. રમણભાઈ શાહે કાર્યક્રમની ભૂમિકા સમજાવી હતી. સંધના ઉપપ્રમુખ શ્રી ચીમનલાલ જે. શાહે કાર્યક્રમનું સંચાલન કર્યું હતી.
મહિલાઓની મેનાપોઝની સમસ્યાઓ વિશે વ્યાખ્યાન : સંધના ઉપક્રમે તા. ૨૬મી મે, ૧૯૯૩ના રોજ સાંજના છ વાગે ઈન્ડિયન મરચન્ટ્સ ચેમ્બરના કમિટી રૂમમાં ડૉ. પ્રવીણભાઈ મહેતા એમ. ડી. (ગાયનેક)નો 'મહિલાઓની મેનોપોઝની સમસ્યાઓ એ વિષય પર વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો. અમે વ્યાખ્યાતા ડૉ. મહેતાના આભારી છીએ.
વિદ્યાર્થીઓ માટે ગીત-સંગીતના વર્ગો : સંધના ઉપક્રમે તા. ૧૭મી એપ્રિલ, ૧૯૯૩થી તા. ૧૨મી જૂન, ૧૯૯૩ સુધી પરમાનંદ કાપડિયા હોલમાં વિદ્યાર્થીઓ માટે ગીત-સંગીતના વર્ગો યોજવામાં આવ્યા હતા. આ વર્ગોનું સંચાલન કું. જ્યોતિબહેન પારેખે કર્યું હતું અને બસંરીબહેન પારેખે સંયોજક તરીકે સેવા આપી હતી. બાળકોના આ સંગીત વર્ગની પૂર્ણાહૂતિનો કાર્યક્રમ તા. ૧૫મી જૂનના રોજ પરમાનંદ કાપડિયા હોલમાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે બાળકોએ અભિનય સાથે ગીતો રજૂ કર્યા હતા. બાળકોને આકર્ષક ભેટ આપવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન બંસરીબહેને અને જયોતિબહેને કર્યું હતું તે માટે તેઓના અમે આભારી છીએ.
નેત્રયજ્ઞ : સંઘના ઉપક્રમે નીચે મુજબ નેત્રયજ્ઞોનું આયોજન થયું હતું. (૧) વિશ્વવાત્સલ્ય ઔષધાલયના સહયોગથી ગુંદી મુકામે તા. ૨૧મી નવેમ્બર, ૧૯૯૨ના રોજ નેત્રયજ્ઞનું આયોજન થયું હતું. (ર) સ્વ. શાંતિલાલ મહેતાના સ્મરણાર્થે શ્રીમતી ક્લાવતીબહેન શાંતિલાલ મહેતાના આર્થિક સહયોગથી ચિખોદરા આંખની હોસ્પિટલ દ્વારા ભરૂચ જિલ્લામાં સરભોણ ગામે તા. ૨૮મી નવેમ્બર, ૧૯૯૨ના રોજ નેત્રયજ્ઞનું આયોજન થયું હતું. (૩) ફોર્બસ ચેરિટેબલ ટ્રસ્ટ, મુંબઈની આર્થિક સહાયથી રવિશંકર મહારાજ આંખની હોસ્પિટલ ચિખોદરા દ્વારા વ્યારા પાસેના ગોપાલપુરા ગામે તા. ૩૦મી મે, ૧૯૯૩ના રોજ નેત્રયજ્ઞનું આયોજન થયું હતું. (૪) શ્રી જયંતીલાલ રાયચંદ બંધારના આર્થિક સહયોગથી
સ્વ. ધીરજલાલ ધનજીભાઇ શાહ પારિતોષિક
‘પ્રબુદ્ધ જીવન’માં વર્ષ દરમિયાન પ્રગટ થયેલા લખાણોમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર લેખકને સ્વ. ધીરજલાલ ધનજીભાઈ શાહ પારિતોષિક અપાય છે. અમને જણાવતાં આનંદ થાય છે કે ૧૯૯૩ના વર્ષ માટેનું પારિતોષિક પ્રા. ચી. ના. પટેલને તેમના લેખો માટે આપવામાં આવે છે.
આ પારિતોષિક માટે નિર્ણાયક તરીકે ડૉ. રમણલાલ ચી. શાહ, શ્રી ધનશ્યામ દેસાઇ અને શ્રી પન્નાલાલ આર. શાહે સેવા આપી છે. અમે શ્રી ચી. ના. પટેલને અભિનંદન આપીએ છીએ અને નિર્ણાયકોનો આભાર માનીએ છીએ.
D મંત્રીઓ