________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧-૯૪
શ્રી મુંબઇ જેન યુવક સંઘ
વાર્ષિક વૃત્તાંત
" શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તેની ૬૪ વર્ષની યાત્રા પૂર્ણ કરે છે,
ત્યારે વિતેલા વર્ષની વિવિધ પ્રવૃત્તિઓનું અહીં દિગ્દર્શન કરાવતાં અમે આનંદ અનુભવીએ છીએ. વર્ષ દરમિયાન હાથ ધરાયેલી મોટાભાગની પ્રવૃત્તિઓનો સવિગત અહેવાલ પ્રબુદ્ધજીવનમાં પ્રગટ થયેલ છે એટલે અહીં એ પ્રવૃત્તિઓનો સંક્ષેપમાં સળંગ અહેવાલ આપીએ છીએ.
સંધના સભ્યો : સંધના સભ્યોની સંખ્યા હાલ આ પ્રમાણે છે પેટૂન : ૧૮૨, આજીવન સભ્ય ૨૧૮૮, સામાન્ય સભ્ય ૭૧ અને પ્રબુદ્ધજીવનના ગ્રાહકો ૧૭૦. - પ્રબુદ્ધજીવન : છેલ્લા ચોપન વર્ષથી સંઘનું માસિક મુખપત્ર 'પ્રબુદ્ધજીવન નિયમિત પ્રગટ થતું રહ્યું છે. સુપ્રતિષ્ઠિત વિદ્વાન લેખકોનો 'પ્રબુદ્ધજીવનને સારો સહયોગ મળતો રહ્યો છે, જે માટે અમે તેમના આભારી છીએ. 'પ્રબુદ્ધજીવનના તંત્રી તરીકે સંઘના પ્રમુખ ડો. રમણલાલ ચી. શાહ માનદ્ સેવા આપી રહ્યા છે, જે માટે અમે તેમના ધણા આભારી છીએ. તદુપરાંત પ્રબુદ્ધજીવનના મુદ્રણ કાર્ય માટે મુદ્રાંકનના પણ અમે આભારી છીએ. ' - શ્રી મ. મો. શાહ સાવંજનિક વાચનાલય અને પુસ્ત કાયલ : પુસ્તકાલયમાં વર્ષ દરમિયાન રૂ. ૩૬૬૮/-ના પુસ્તકો વસાવવામાં આવ્યા છે. વર્ષ આખરે ૧૩૪૭૫ પુસ્તકો છે. પુસ્તકાલયની પ્રવૃત્તિ માટે પુસ્તકાલય સમિતિના મંત્રી શ્રી પ્રવીણભાઈ મંગળદાસ શાહના અમે આભારી છીએ.
પ્રેમળ જ્યોતિ : સંઘ સંચાલિત અને શ્રીમતી વિદ્યાબહેન મહાસુખભાઈ ખંભાતવાળા પ્રેરિત પ્રેમળજયોતિ દ્વારા દર્દીઓને દવા, કપડાં, સ્કૂલ ફી, યુનિફોર્મ વગેરેની સહાય આપવાની પ્રવૃત્તિ વર્ષ દરમિયાન સારી રીતે ચાલી રહી છે. સંયોજકો તરીકે શ્રી નિરુબહેન શાહ
અને શ્રી નટુભાઈ પટેલ પ્રશસ્ય સેવા આપે છે. આ માટે અમે તેમના છે. અને અન્ય કાર્યકર બહેનોના આભારી છીએ.
વિલેપાર્લાની પ્રેમળ જ્યોતિ શાખા :- આ શાખાની બહેનો - દર ગુરૂવારે વિલેપાર્લાની નાણાવટી હોસ્પિટલના દર્દીઓને દવાઓ તથા
આર્થિક સહાય આપે છે. આ શાખાના સંયોજકો તરીકે શ્રીમતી સ્મિતાબહેન કામદાર અને શ્રીમતી સુલીબહેન હીરાણી સેવા આપે છે, તેની સાભાર નોંધ લઈએ છીએ. - અસ્થિ સારવાર કેન્દ્ર: સંઘના કાર્યાલયમાં તા. ૩૧-૭-૮૩થી અસ્થિ સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્દ્રમાં હાડકાંના દર્દોના નિષ્ણાંત ડોક્ટર શ્રી જે. પી. પીઠાવાલા દર રવિવારે નિયમિત
પણે સવારના ૧૦-૦૦થી બપોરના ૨-૦૦ વાગ્યા સુધી હાડકાંના . દર્દીઓને વિનામૂલ્ય માનદ્ સારવાર આપે છે. ડે. પીઠાવાલાના તેમજ
તેમના સાથી કાર્યકરોના તથા સંયોજકો શ્રી પ્રવીણભાઈ મંગળદાસ શાહ
તથા શ્રીમતી જયાબહેન વીરાના અમે આભારી છીએ. - અંરિીમાં અસ્થિ સારવાર કેન્દ્રઃ આ કેન્દ્રમાં દર મહિનાના
છેલ્લા રવિવારે બપોરના ૨-૩૦ થી ૫-૩૦ સુધી ડી. જે. પી. પીઠાવાળા સેવા આપે છે. આ કેન્દ્રના સંયોજક તરીકે શ્રી પ્રવીણભાઈ મંગળદાસ શાહ સેવા આપે છે. અંધેરી ખાતેની આ પ્રવૃત્તિ માટે શ્રી વર્ધમાન સ્થાનક્વાસી શ્રાવક સંઘ તરફથી તેમની જગ્યાનો ઉપયોગ કરવા દેવા માટે અમે તેમના આભારી છીએ
સ્વ. દીપચંદ ત્રિભોવનદાસ પુસ્તક પ્રકાશન ટ્રસ્ટ : સંધના ભૂતપૂર્વ મંત્રી સ્વ. દીપચંદ ત્રિભોવનદાસ શાહ પરિવાર તરફથી એમની સ્મૃતિમાં જૈન ધર્મના પુસ્તકોના પ્રકાશન માટે ભેટ રકમ આપવામાં આવી હતી. અને ત્યાર પછી તેમાં વખતોવખત ઉમેરો થતો રહ્યો છે. આ ટ્રસ્ટના ઉપક્રમે વર્ષ દરમિયાન જિનતત્ત્વ ભાગ-૫, પ્રભાવક
સ્થવિરો ભાગ-૩ અને ૪, તિવિહેણ વંદામિ તથા આપણા તીર્થંકરો (બીજી આવૃત્તિ) પ્રગટ થયા છે. - સ્વ. ધીરજલાલ ધનજીભાઈ શાહ પારિતોષિક : 'પ્રબુદ્ધજીવનમાં વર્ષ દરમિયાન પ્રગટ થયેલ લખાણોમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર લેખકને . ધીરજલાલ ધનજીભાઈ શાહ પારિતોષિક અપાય છે. ૧૯૯૨ના વર્ષ માટેનું પારિતોષિક ડો. બિપિનચંદ્ર હીરાલાલ કાપડિયાને આપવામાં આવ્યું હતું. આ પારિતોષિક માટે નિર્ણાયક તરીકે ડો. રમણલાલ ચી. શાહ, શ્રી ઘનશ્યામ દેસાઈ અને શ્રી પન્નાલાલ ૨. શાહે સેવા આપી હતી.
શ્રીમતી ધીરજબહેન દીપચંદ શાહ રમકડાંઘર : સંધ દ્વારા બાળકોને ઘરે રમવા માટે રમકડાં આપવાની આ પ્રવૃત્તિ દર રવિવારે બપોરના ૩-૦૦થી ૫-૦૦ સુધી નિયમિત ચલાવવામાં આવે છે. આ વર્ષે બાળકોની સભ્ય સંખ્યા ૨૫૦ જેટલી રહી છે. રમકડાં ઘર માટે વખતોવખત નવાં રમકડાં ખરીદવામાં આવે છે. આ પ્રવૃત્તિના સંયોજકો ડે. અમુલ શાહ અને શ્રીમતી જયાબહેન વીરાના અમે આભારી છીએ.
શ્રી જમનાદાસ હાથીભાઈ મહેતા અનાજ રાહત ફંડ: શ્રી જે. એચ. મહેતાના કુટુંબીજનો તરફથી રૂ. ૨૫૦૦૦/-ની રકમ અનાજ રાહત ફંડમાં મળી છે. અને તેમાં વખતોવખત ઉમેરો થતો રહ્યો છે. એમાંથી જરૂરિયાતવાળા કુટુંબોને સસ્તા દરે અનાજ આપવાનું કાર્ય સારી રીતે ચાલી રહ્યું છે. આ પ્રવૃત્તિના સંયોજક તરીકે શ્રી ઉષાબહેન મહેતા, શ્રી રમાબહેન મહેતા અને અન્ય બહેનો સેવા અપિી રહ્યા છે. અમે તેમને આભારી છીએ.
કિશોર ટિમ્બડીયા કેળવણી ફંડ: સ્વ. કિશોર ટિમ્બડિયાની સ્મૃતિમાં તેમના પરિવાર તરફથી શિષ્યવૃત્તિ માટે સંધને રૂપિયા એક લાખનું દાન મળ્યું છે. આ ફંડમાંથી બૃહદ મુંબઈની કોલેજ કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ- બહેનોને આર્થિક સહાય આપવામાં આવે છે. આ પ્રવૃત્તિના સંયોજક શ્રી વસુમતીબહેન ભણસાલી, શ્રી ઉષાબહેન મહેતા અને શ્રી રમાબહેન મહેતાના અમે આભારી છીએ.
શ્રી સરસ્વતીબહેન ડાહ્યાભાઈ ઝવેરી ચમાં બેન્ક : સંઘના ઉપક્રમે સાધારણ સ્થિતિવાળા દર્દીઓને મફત ચશમાં આપવામાં આવે છે. શ્રીમતી સરસ્વતીબહેન ડાહ્યાભાઈ ઝવેરી તરફથી સંધને મળેલી આર્થિક સહાયમાંથી આ પ્રવૃત્તિ સારી રીતે ચાલી રહી છે. - ભક્તિ સંગીતના વર્ગો : સંઘના ઉપક્રમે ચાલુ વર્ષે ભક્તિ સંગીતના વર્ગો સંઘના કાર્યાલયમાં રાખવામાં આવ્યા હતા. શ્રી શ્યામ ગોગટેએ આ તાલીમવર્ગના અધ્યાપક તરીકે અને શ્રી ઉષાબહેન મહેતાએ આ વર્ગના સંયોજક તરીકે સેવાઓ આપી હતી. બંનેના અમે આભારી છીએ.
, પર્યુષણ વ્યાખ્યાનમાળા : સંઘના ઉપક્રમે સોમવાર, તા. ' ૨૪મી ઓગસ્ટ, ૧૯૯૨થી સોમવાર, તા. ૩૧ મી ઓગસ્ટ, ૧૯૯૨