Book Title: Parampaddai Anandghan Padreh Part 01
Author(s): Suryavadan T Zaveri
Publisher: Shreyaskar Andheri Gujarati Jain

View full book text
Previous | Next

Page 10
________________ છે. અનંતીવાર કિનારે આવેલું વહાણ ડૂબી ગયું છે. આવા સમયે તો ગમે તેવા ભયસ્થાનો ઉપસ્થિત થાય તો પણ જે નિર્ભય બની દઢ પ્રણિધાન કરીને આગળ વધે છે, મોતથી પણ ગભરાતો નથી, અને “કયાં તું નહિ કયાં હું નહિ, કાર્ય સિદ્ધ કરીને જ રહીશ તે માટે મોત આવે તો પણ મંજર છે પણ ગ્રંથિભેદ કરીને જ રહેવું છે - આવો દઢ સંકલ્પ કરીને જે આગળ વધે છે, તેજ વીતરાગતાના અંશ રૂપ ઉપશમ સમ્યકત્વને પામે છે કે જેની પ્રાપ્તિથી અનાદિકાળના અજ્ઞાનના અંધારા ઉલેચાય છે અને આત્મઘરમાં આનંદ - આનંદ - આનંદના અજવાળા પથરાય છે. અનંતીવાર દેહની ખાતર આત્માને ગાળ્યો છે જેના ફળ સ્વરૂપે અવંતીવાર વરકામિની યાતના જીવ પામ્યો છે. હવે જો એક ભવ પણ આત્મા ખાતર દેહને ગાળવામાં આવે તો ગ્રથિભેદ જનિત સચગદર્શક અને મોક્ષપ્રાપ્તિ વિ લાવી શકાય તેમ છે. ત્રીજી વાત યોગીરાજને સંપ્રદાયમાં રહેવા છતાં સંપ્રદાયવાદ અડ્યો નહોતો અને તેથી નડ્યો નહોતો. જીવને એ ખ્યાલ આવવો જરૂરી છે કે સંપ્રદાય એ આત્માની સાધના કરવા માટે વ્યવસ્થા છે, નહિ કે સંપ્રદાયમાં ચાલતી ભિન્ન ભિન્ન પ્રણાલિકાઓના ખંડન મંડનમાં ઉતરી વાદ-વિવાદમાં પડવા માટે. સંપ્રદાયમાં રહેવા છતાં આંખ સામે તો એક માત્ર આત્માને પામવાનુ લક્ષ્ય જ રહેવું જોઈએ અને તેને માટે તો સાધના કરવી પડે. સાધના કરવાથી જ મોક્ષ પ્રાપ્તિની વિકટતાના એંધાણ સાંપડે છે બાકી બીજી કોઈ રીતે નહિ એ વાત આપણને યોગીરાજના જીવનમાંથી જડે છે. પદ-૪૨ માં અબ હમ અમર ભયે ન મરે ના હદયોદગારમાં એમને થયેલ આત્માની અનુભૂતિ અને મોક્ષની નિકટતાનો અહેસાસ થાય છે. યોગીરાજ સાધના દ્વારા ઠેઠ કાસાતમાં ગુણસ્થાનક સુધીની સ્પર્શનાને પામ્યા અને પ્રાય: એકાવતારીપણું સિદ્ધ કર્યું એવું જાણીને, “એ તો એજ કરી શકે આપણું ગજુ નહિ ' એવી કાયરતા કોઈએ દાખવવાની કોઈ જરૂર નથી. એમના જીવનમાં જોવા મળતા આ ત્રણ મહત્વના મુદ્દાઓ (૧) સ્પૃકાનો અત્યંત આભાવ (૨) સાઘના કાળમાં અત્યંત નિર્ભયતા અને (૩) સંપ્રદાયવાદનો અભાવ એ જો આપણે પણ પામીએ તો આપણે પણ મુકિતને વિકટ લાવી શકીએ છીએ, જીવને એ યાદ રહેવું જોઈએ કે મનુષ્યભવ, પરમાત્માનું શાસન અને પ્રાપ્ત કરેલ દ્રવ્યચારિત્ર આ ત્રણની સફળતા સદ્ગતિને પામવામાં નહિ પણ ગ્રંથિભેદજનિત ઉપશમ સ ત્વને પામવામાં છે. સ્વાનુણાતિ સંપન સાવ ખીમજીબાપાએ ચોગીરાજના ભાવવાહી પદો પર ખૂબ ઉંડું મનોમંથન કરી જે કાંઈ નોંધ તૈયાર કરેલ હતી તે એમના આગવા વિશિષ્ટ વિવરણના આધારેજ એનું સંસ્કરણ કરી પ્રવચન દરમ્યાન લોકમાંગણી

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 490