Book Title: Padarth Prakash 22 Yatidin Charya
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ પાંચ પ્રકારના માસ 45 દિવસ ઉમેરવાના અંગુલ પોષ પૂર્ણિમા મહા પૂર્ણિમા ફાગણ પૂર્ણિમા ચૈત્ર પૂર્ણિમા વૈશાખ પૂર્ણિમા જેઠ પૂર્ણિમા દેવો અને મહર્ષિઓનો માસ પૂર્ણિમાએ પૂર્ણ થાય છે. તેથી પૂર્ણિમાએ પડછાયાનું પ્રમાણ અને તેમાં ઉમેરવાના અંગુલ બતાવ્યા છે. પાંચ પ્રકારના માસ (ઉપર માસની વાત આવી. તેથી પાંચ પ્રકારના માસ બતાવે છે.) નક્ષત્રમાસ - ચન્દ્ર જેટલા કાળમાં અભિજિતથી માંડીને ઉત્તરાષાઢા સુધીના નક્ષત્રોની સાથે ચાર ચરે તે નક્ષત્રમાસ. તે 27 33 અહોરાત્ર પ્રમાણ છે. ચન્દ્રમાસ - યુગની શરૂઆતમાં શ્રાવણ વદ 1 થી માંડીને પૂર્ણિમા સુધીનો માસ તે ચન્દ્રમાસ. ચંદ્રના ચારથી થયેલ માસ તે ચન્દ્રમાસ. તે 29 અહોરાત્ર પ્રમાણ છે. (3) ઋતુમાસ - ત્રીસ અહોરાત્ર પ્રમાણ માસ તે ઋતુમાસ. (4) સૂર્યમાસ - 183 અહોરાત્ર પ્રમાણ દક્ષિણાયન કે ઉત્તરાયણના છઠ્ઠા ભાગ રૂપ માસ તે સૂર્યાસ. તે 30 અહોરાત્ર પ્રમાણ છે. (5) અભિવર્ધિતમાસ - જેમાં 13 ચન્દ્રમાસ હોય એવા અભિવર્ધિત વર્ષનો બારમો ભાગ તે અભિવર્ધિતમાસ. તે 31 37 અહોરાત્ર પ્રમાણ છે.