Book Title: Padarth Prakash 22 Yatidin Charya
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 58 ચૈત્યવંદનાના ત્રણ પ્રકાર અડાડીને નમસ્કાર કરવો. (vi) “નમો જિરાણું વગેરે એક પદરૂપ નમસ્કાર. (i) એક શ્લોક વડે નમસ્કાર. (ii) અનેક શ્લોકો વડે નમસ્કાર. (4) એક નમુત્થણ વડે નમસ્કાર. (2) મધ્યમ ચૈત્યવંદના - (1) અરિહંત ચેઇઆણ + થાય. (i) નમુસ્કુર્ણ + અરિહંત ચઆણે + થોય. (i) પાંચ દંડક સૂત્રો + 4 થોય. [પાંચ દંડક સૂત્રો = નમુત્થણ (શક્રસ્તવ), અરિહંતચેઇઆણં (ચૈત્યસ્તવ), લોગસ્સ (નામસ્તવ), પુખરવરદી (શ્રુતસ્તવ), સિદ્ધાણં બુદ્ધાણં (સિદ્ધસ્તવ)] (3) ઉત્કૃષ્ટ ચૈત્યવંદના - (1) ઈરિયાવહી + નમસ્કાર + નમુસ્કુર્ણ + 4 થોય + નમુણંથી જયવીયરાય. (i) વર્તમાનમાં કરાતું 3 ચૈત્યવંદન, 5 નમુત્થણું, બે વાર 4 થાય વાળું દેવવંદન. ગોચરીકાળ જે ગામ વગેરે ક્ષેત્રમાં ગોચરીનો જે કાળ હોય તે પ્રમાણે સાધુ સૂત્રપોરિસી અને અર્થપોરિસી કરે. ત્યારપછી ગોચરી માટે જાય. સાધુ ઉચિતકાળે ગોચરી માટે જાય અને ઉચિતકાળે પ્રતિક્રમણ કરે. સાધુ અકાળને છોડીને ઉચિતકાળે ઉચિત ક્રિયા કરે. હે સાધુ! જો તું અકાળે ગોચરી માટે જાય છે અને કાળનો ઉપયોગ રાખતો નથી તો તું પોતે થાકી જઈશ અને ક્ષેત્રની નિંદા કરીશ. સાધુ ઉચિતકાળે પુરુષાર્થ કરીને ગોચરી માટે જાય. જો લાભ ન થાય તો શોક ન કરે, પણ “તપ