Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
બદલે ખુમારી પૂર્વક ચાલતી કચ્છી પ્રજાને જોઈને કોઈને પણ લાગે : આવી ખુમારી હશે તો ખુવાર થયેલું કચ્છ થોડા જ સમયમાં બેઠું થઈ જશે.
કચ્છી માડુ આ ખુવારીને ખુમારીમાં, આ અભિશાપને આશીર્વાદમાં બદલાવી શકે, એવું સત્ત્વ ધરાવતો ટટ્ટાર ઊભો છે. | ‘નવસર્જન પહેલા વિધ્વંસ પણ ક્યારેક જરૂરી હોય છે.' એવું કોઈકે કહેલું છે, તે યાદ રાખવા જેવું છે.
શારીરિક, આર્થિક, ધાર્મિક, સામાજિક – બધી જ દૃષ્ટિએ ખુવાર થયેલા માણસને અત્યારે બેઠો કરવાની જરૂર છે. એના હૃદયમાં ભગવાન અને જીવન પ્રત્યે ભક્તિ અને કૃતજ્ઞતા પેદા કરવાની જરૂર છે. માનસિક રીતે ભાંગી પડેલા માણસના સંતપ્ત હૃદયમાં આવા પુસ્તકો જરૂર આશ્વાસનનું અમૃત સિંચશે.
દ