________________
આ જીવો એક એક અપર્યાપ્ત જીવોની સાથે પર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાય જીવો સંખ્યાતા હોય છે. આ જીવો પણ ચૌદરાજ લોકના દરેક આકાશ પ્રદેશ ઉપર અસંખ્યાતા અસંખ્યાતા ઠાંસી ઠાંસીને રહેલા હોય છે. અદ્રશ્ય હોય છે એટલે ચર્મ ચક્ષુથી જોઇ શકાતા નથી.
શરીર-અંગુલના અસંખ્યાતા ભાગ જેટલું હોય છે. આયુષ્ય- નિયમાં એક અંતર્મુહૂર્ત જ હોય છે. સ્વકીય સ્થિતિ- જઘન્યથી એક ભવ કોઇ જીવ ત્યાં ઉત્પન્ન થઇ અંતર્મુહૂર્ત રહી પછી બીજી જગ્યાએ ઉત્પન્ન થાય તે એક ભવની સ્થિતિ ગણાય. ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સરપિણી અસંખ્યાતી અવસરપિણી કાળ સુધી જન્મ મરણ કરે તે એટલે કે અસંખ્યાતા કાલચક્ર સુધી જન્મ મરણ થયા કરે તે.
પર્યાપ્તિ-૪. આહાર પર્યાપ્તિ, શરીર પર્યામિ, ઇન્દ્રિય પર્યાતિ, શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ. આ ચારેય પર્યામિ પૂર્ણ કર્યા પછીથી જ મરણ પામે છે.
પ્રાણ-૪. આયુષ્ય પ્રાણ, કાયબલ, સ્પર્શેન્દ્રિય અને શ્વાસોચ્છવાસ પ્રાણ. આ ચાર પ્રાણો પૂર્ણ કર્યા પછી પરભવનું આયુષ્ય બાંધી ત્યાંથી મરણ પામે છે.
બાદર તેઉકાય જીવો હણ્યા હણાય છે, છેદ્યા છેદાય છે, પાણીથી ભીંજાય છે, અગ્નિથી બળે છે. ઇત્યાદિ તેની હિંસા થઈ શકે છે માટે હિંસાનું પાપ લાગે છે. આ જીવોને ઉત્પન્ન થવાના સ્થાનો બહુ જ આલ્પ હોય છે. પૃથ્વીકાય-અપુકાય કરતાં આ જીવો નું સ્થાન ઘણું જ અલ્પ હોય
સામાન્ય રીતે અઢી દ્વીપ ક્ષેત્ર ગણાય છે. તેમાંય મારા કર્મભૂમિના ક્ષેત્રોને વિષે જ ઉત્પન્ન થાય છે એટલે પાંચ ભરત ક્ષેત્રો-પાંચ ઐરવતુ ક્ષેત્રો અને પાંચ મહાવિદેહ ક્ષેત્રો એમ પંદર કર્મભૂમિઓને વિષે જ બાદર અગ્નિકાય જીવો ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે. તેમાં પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રને વિષે જયારે તીર્થંકર પરમાત્માઓની ઉત્પત્તિ થાય ત્યારે અગ્નિકાય જીવો ઉત્પન્ન થાય છે અને તીર્થંકર પરમાત્માનું શાસન જયારે વિચ્છેદ પામે ત્યારે આ જીવોની ઉત્પત્તિ નાશ પામે છે એટલે ત્યાર પછી આ જીવો ઉત્પન્ન થતા નથી જયારે પાંચ મહા વિદેહક્ષેત્રને વિષે તીર્થંકર પરમાત્માઓનું શાસન સદા માટે રહેલું હોવાથી ત્યાં અગ્નિકાય જીવો સદા માટે હોય છે. માટે પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્ર માં વ્યાઘાક ભાવિની અગ્નિકાય જીવો ગણાય છે અને પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં નિર્વાઘાત ભાવિની અગ્નિકાય જીવો ગણાય છે. આ બનવાનું કારણ એ છે કે પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રમાં કાળ ઉત્સરપિણી અને અવસરપિણી રૂપે હોય છે. તે કાળ એક એક દશ કોટી કોટી સાગરોપમ હોય છે તેમાં અવસરપીણી કાળમાં છ આરા હોય છે તેમાં પહેલો આરો ચાર કોટાકોટી સાગરોપમના હોય છે. બીજો આરો ટોણ કોટાકોટી સાગરોપમનો હોય છે. ત્રીજો આરો બે કોટાકોટી સાગરોપમનો હોય છે અને ચોથો આરો એક કોટાકોટી સાગરોપમમાં બેંતાલીશ હજાર વર્ષ જૂન જેટલો હોય છે. પાંચમો આરો એકવીશ હજાર વર્ષનો અને છઠ્ઠો આરો એકવીશ હજાર વરસનો હોય છે તેમાં
Page 28 of 234