Book Title: Jeev Vichar
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 143
________________ "दुख स्त्रीकुक्षिमध्ये प्रथममिह भवे गर्भवासे नराणां, बालत्वे चापि दुःखं मल्लुलिततनुस्त्रीपयपानमिश्रम् । तारुण्ये चापि दुःखं भवति विरहजं वृद्धभावोडप्यसार, संसारे रे मनुष्या / वदत यदि सुखं स्वल्पमप्यस्ति किंचित् //917" અર્થાત - ‘આ સંસારમાં મનુષ્યોને પ્રથમ દુઃખ, સ્ત્રીની કુક્ષિનો મધ્ય ગર્ભવાસમાં છે : જમ્યા પછી બાળપણમાં પણ, મલથી વ્યાપ્ત શરીરવાળી સ્ત્રીના દુધનું જે પાન તેનાથી મિશ્રિત એવું ઘણું દુઃખ છે : તરૂણ અવસ્થામાં પણ, વિરહથી ઉત્પન્ન થયેલું દુઃખ થાય છે અને વૃદ્ધભાવ પણ અસાર છે. આ કારણથી રે મનુષ્યો ! જો સંસારમાં અતિશય થોડું પણ કંઇક સુખ હોય તો તમે બોલો ! પરમ ઉપકારિનું પુદ્ગલાનંદિઓ પ્રત્યે આ પાછું ન ઠેલી શકાય એવું આહ્વાન છે. જે પુદ્ગલાનંદિઓ, સંસારમાં સુખ માની મનાવીને સ્વપરના હિતનો સંહાર કરી રહ્યા છે : તેઓએ, આ આહ્વાનને અવશ્ય ઝીલી લેવા જેવું છે : પણ તેઓની એ તાકાત નથી કે જેથી તેઓ આ આહ્વાનને ઝીલે. નરકગતિ આદિનો સ્વીકાર નહિ કરનારાઓને પણ આ જ્ઞાનીઓ, મનુષ્યગતિની દુઃખમયતાથી પણ સંસારની દુઃખમયતા સમજાવી શકે તેમ છે. કોણ કહી શકે તેમ છે કે સ્ત્રીની કુક્ષિની અંદર ગર્ભવાસમાં રહેલા આત્માને કારમું દુ:ખ નથી ભોગવવું પડતું ? કોણ કહી શકે તેમ છે કે-બાલ્યપણામાં, અજ્ઞાનના પ્રતાપે આત્માને અનેક દુઃખોના ભોગ નથી થવું પડતું? કોણ કહી શકે તેમ છે કે-તરુણાવસ્થામાં, વિષયાધીનતાના પ્રતાપે ઇષ્ટવિયોગ આદિના યોગે અનેકાનેક દુ:ખો આત્માને નથી અનુભવવાં પડતાં ? અને કોણ કહી શકે તેમ છે કે-વૃદ્ધાવસ્થામાં તૃષ્ણા આદિના યોગ આત્માને અસહ્ય દુ:ખોનો આસ્વાદ નથી લેવો પડતો? આ દુ:ખનો ઇન્કાર કોઇપણ વિચારશીલ આત્માથી થઇ શકે તેમ નથી અને એથી સ્પષ્ટ છે કે- “મનુષ્યગતિના નામે પણ કોઇથી સંસારને સુખમય સાબીત કરી શકાય તેમ નથી.' એજ હેતુથી ઉપકારિનું આહ્વાન પૂર્વક ફરમાન છે કે-સંસારમાં સુખ હોય તો સાબીત કરો. આવું આહ્વાન કરવાનું એકજ કારણ છે અને તે એજ કે-સંસાર દુ:ખમય લાગ્યા વિના આત્મા ધર્મ તરફ આકર્ષાતો નથી. આત્મા જ્યાં બેઠો છે તે એને ખરાબ સમજાય તોજ પ્રતિપક્ષી વસ્તુ તરફ તેને સદૂભાવ જાગે અને એ જગાવવાનો આ ઉપકારિનો હેતુ છે. ગર્ભાવસ્થાની વિષમતા : ગર્ભાવસ્થાની વિષમતા ખરેખર ન વર્ણવી શકાય તેવી છે. નવ મહિના જેટલો સમય અશુચિથી ભરેલા ગર્ભવાસમાં ઉંધે મસ્તકે લટક્યા કરવું, અશુચિ પદાર્થોનું ભક્ષણ કરવું વિગેરે વિગેરે કંઇ ઓછી આપત્તિઓ છે ? પણ અજ્ઞાન કોઈ એવી વસ્તુ છે કે-જેથી એ બધીએ બની ગયેલી અવસ્થાઓ જાણવામાં નથી આવતી ! એ અજ્ઞાન જ આત્માને સંસારમાં સ્થિર રાખનાર છે ! જે આત્માઓને સંસારથી છૂટી મુક્તિએ પહોંચવું હોય તે આત્માઓએ, પોતાનું અજ્ઞાન ન ટળે ત્યાં સુધી અનંતજ્ઞાનીઓની આજ્ઞાને આધીન થવું એજ હિતાહવ છે. બાલ્યાવસ્થાની અરોચકતા : જેમ ગર્ભાવસ્થા વિષમ છે તેમ બાલ્યાવસ્થા પણ અરોચક છે. એ અવસ્થા, પાલકના આધારે જ ટકે છે. એ અવસ્થા એવી નાજુક છે કે જેમાં દુઃખમાત્ર અસહ્ય થઈ પડે છે. અજ્ઞાનપણે પણ એ અવસ્થા સાથે સહજ છે. Page 143 of 234

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234