Book Title: Jeev Vichar
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 233
________________ જેનું પરિણામ સારું તે પ્રશસ્ત સમજો અને જેનું પરિણામ ખોટું તે પ્રશસ્ત દેખાતા હોય છતાંય અપ્રશસ્ત સમજો . અભવ્યનું સંયમ સુંદર છતાં શાસ્ત્રકારે અનર્થકર નિષ્ફળ પ્રાલય કહ્યું કારણકે તે પૌગલિક લાલસાઓથી ભરેલું જ છે : આથીજ નિર્વેદ તથા વૈરાગ્ય વિના ધર્મ પામી શકાતો નથી અને પાળી શકાતો નથી. એ જ કારણે સૂત્રકાર પરમર્ષિ સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય થાય તે માટે કર્મના વિપાકનું વર્ણન કરે છે, એ વિપાકનું વર્ણન કરતાં સૂત્રકાર પરમર્ષિ અને ટીકાકાર મહર્ષિ શું શું ફરમાવે છે કે આપણે ક્રમસર જ્ઞાની મહારાજાએ ભાળ્યું હશે તે હવે પછી જો શું કર્મવશવર્તિ પ્રાણીઓના કર્મવિપાનું વિશિષ્ટ પ્રકારે વર્ણન કર્મવિપાનું વર્ણન શા માટે ? સંસારવર્તિ પ્રાણીઓને નિર્વેદ તથા વૈરાગ્ય ઉત્પન્ન કરાવવાના જ એક ઇરાદાથી સૂત્રોકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામિજી આ છઠ્ઠા અધ્યયનના પ્રથમ ઉદેશાના બીજા સૂત્રદ્વારા, કર્મના વિપાકનું વર્ણન કરવા માગે છે, કેમકે કર્મવિપાકના યોગે થતી સંસારની દુઃખમયતા સામાન્ય રીતે પણ સમજાય નહિ ત્યાં સુધી નિર્વેદ આવતો નથી અને વૈરાગ્ય ભાવના જાગૃત થતી નથી. તથા નિર્વેદ અને વૈરાગ્યવિના શ્રી જિનેશ્વર દેવનો માર્ગ રૂચતો નથી. પ્રભુના માર્ગની રૂચિ માટે નિર્વેદ તથા વૈરાગ્ય એ પ્રબળ સાધન છે. નિર્વેદ એટલે સંસારને કારાગાર માનવો અને એનાથી ક્યારે છુટાય એ ભાવના થાય તે. એ નિવદના યોગે એ કે એક સંસારના પદાર્થ પ્રત્યે રાગ પાતળો પડે એ વૈરાગ્ય. એ થાય ત્યારે જ્ઞાનીનો માર્ગ સારામાં સારી રીતિએ આરાધાય. શ્રી વીતરાગ પ્રભુના માર્ગમાં દુનિયાદારીનાં પદાર્થો ની અભિલાષાનો પણ નિષેધ છે કારણ કે-મળ્યું હોય એ પણ મુકવાનો એમાં ઉપદેશ છે. અર્થકામ, પૈસોટકો, રાજઋદ્ધિ વિગેરે મેળવવાની મહેનત તો સૌ કરે પણ આ શાસનમાં તો એ બધું મૂકવાની મહેનત છે. બહારથી છોડવાની સાથે હૈયેથી પણ ખસવું જોઇએ : આજ કારણે ધર્મની પ્રાપ્તિ માટે સામાન્ય રીતિએ પણ નિર્વેદ તથા વૈરાગ્ય એ ગુણોની અનિવાર્ય જરૂર છે. જયારે સંસાર પ્રત્યે નિર્વેદ આવે ત્યારે સંસારની પ્રતિપક્ષી વસ્તુ પ્રત્યે સદ્ભાવ થાય છે. ધ્યાનમાં રાખજો કે-નાનામાં નાની ક્રિયા આ શાસનની એટલે નવકાર મંત્રનો જાપ પણ સંસારથી છૂટવા માટે જ છે. અર્થાત્ કોઇ પણ ક્રિયા જિનેશ્વર દેવોએ સંસારમાં રહેવા માટે ફરમાવી જ નથી. પ્રાણીઓનાં સંસારનાં બંધન ઘટે, રાગદ્વેષ ઘટે, મોહની આસક્તિ ઘટે, તે માટે જ એ કે એક ક્રિયાનું જ્ઞાનીએ વિધાન કરેલ છે. જયાં સુધી દુનિયાની તીવ્ર આસક્તિ બેઠી છે ત્યાં સુધી શ્રી જિનેશ્વરદેવ જેવા પરમોપકારીની આજ્ઞામાં રક્તતા નથી થતી, આથી જ નિર્વેદ તથા વૈરાગ્ય ગુણની ખીલવણી વગર ધુનન ન થાય. આજ હેતુથી સૂરાકાર પરમર્ષિએ આ છઠ્ઠા અધ્યયનના પ્રથમ ઉદે શાના બીજા સુત્રાની શરૂઆતમાં જ ફરમાવ્યું છે કે d Fut M&I dé7' Page 233 of 24

Loading...

Page Navigation
1 ... 231 232 233 234