________________
રહેવાય. ખરેખર, કર્મથી ભારે બનેલા જીવોની વિષયવાસના આપત્તિઓ આવવા છતાંયે જતી નથી. એવી દશામાં પણ આવેલી આપત્તિ કેમ જાય, એ જ વિચાર અને પ્રયત્નોમાં પણ એ જ હતુ કે-વિષયની સામગ્રી આપત્તિ જવાથી રીતસર ભોગવાય. આ શિવાયની બીજી એક પણ શુભ ભાવના જ ન મળે ! માંદાને પૂછો કે‘દવા શા માટે લેવાય છે?” –તો તે કહેશે કે- “સારી રીતિએ ખવાય, પીવાય અને મોજશોખ કરાય એ માટે !' હૃદયની આ ભાવનાના પ્રતાપે સમજાતું નથી કે- વિષય સામગ્રી મેળવવામાં પણ પાપ, ભોગવવામાં પણ પાપ, એને યોગે આવેલી આપત્તિથી દુર્ગાન થાય એથી પણ પાપ, આપત્તિ દૂર કરવા દુર્ભાવનાઓ થાય એથી પણ પાપ અને પરિણામે દુર્ગતિમાં જવાનું, ત્યાં પણ હાલત તો ચીસો જ મારવાની અને એ હાલતમાંથી કોઈ જ બચાવી શકે તેમ નથી. આ સ્થિતિમાં એ સાચું જ છે કે- ‘ઉપકારીઓના કથન મુજબ એવા પામર આત્માઓ કોઈ પણ રીતિએ મોક્ષ એટલે દુઃખોનો અપગમ અથવા તો મોક્ષનું કારણ જે સંયમાનુષ્ઠાન તેને પામી શકતા નથી.'
હવે
જયારે એ પામર આત્માઓ દુ:ખોના અપગમને અથવા તો મોક્ષના કારણરૂપ સંયમાનુષ્ઠાનને નથી પામતા. ત્યારે શું પામે છે? –એ બતાવતાં સૂત્રાવયવની અવતરણિકા, તે સૂત્રાવયવ અને તેનો અર્થ દર્શાવતાં ટીકાકાર-મહર્ષિ શ્રીશીલાંકરસરિજી મહારાજા ફરમાવે છે કે
“दुःखविमोक्षाभावे च यथा नानाव्याध्युपसृष्टाः संसारोदरे प्राणिनो विवर्तन्ते तथा दर्शयितुमाह
"अह पास तेहिं कलेहिं आयत्ताए जायो" 'अथ इति वाक्योपन्यासार्थे पश्य त्वं तेपूच्चावचेपु कुलेपु, आत्मत्वायआत्मीयकम्र्मानुभवाय जाताः । દુઃખનો વિમોક્ષ એટલે ‘સર્વથા દુઃખનો જે નાશ’ તેની પ્રાપ્તિના અભાવમાં નાના પ્રકારની વ્યાધિઓ રૂપ ઉપસર્ગોથી રીબાતા પ્રાણીઓ, સંસારોદરમાં જે રીતિએ વર્તે છે. તે દર્શાવવા માટે સૂત્રકારમહર્ષિ શ્રી સુધર્માસ્વામિજી મહારાજા ફરમાવે છે કે
"अह पास तेहिं कूलहिं आयत्ता जायो' આ સૂત્રાવયવમાં પ્રથમ જે “થે શબ્દ છે તે વાક્યના ઉપન્યાસ માટે છે, એટલે “378 શબ્દથી વાક્યનો ઉપવાસ કરીને સૂત્રકાર મહર્ષિ ફરમાવે છે કે
“હે ભવ્ય ! તું જો-તે ઉચ્ચ નીચ કુલોમાં સઘળાય પ્રાણીઓ RI[QIછે એટલે પોતાનાં કર્મોનો અનુભવ કરવા માટે ઉત્પન્ન થયેલા છે.”
આ પછી "तदुदयाच्चेमां अवस्थामनुभवन्तीत्याह षोडशरोगवक्त व्यानुगतं श्लोकत्रय"
“તે પોતાના કર્મના ઉદયથી સંસારમાં ભટકી રહેલા પ્રાણીઓ આવી જાતિની અવસ્થાને અનુભવે છે, એમ દર્શાવવા માટે સૂત્રકારમહર્ષિએ સોલ રોગોના વક્તવ્યને કહેતા ત્રણ શ્લોકો કહ્યા છે.”
આ પ્રમાણે
Page 150 of 234