________________
તેઉકાય જીવોનું વર્ણન.
તેઉકાય અગ્નિ જ શ૨ી૨ જે જીવોનું તે તેઉકાય જીવો કહેવાય છે. જે પોતે જ અગ્નિ સ્વરૂપ શરીરવાળા હોય છે. આ જીવો બે પ્રકારના હોય છે.
(૧) સૂક્ષ્મ અગ્નિકાય (૨) બાદર અગ્નિકાય
=
સૂક્ષ્મ અગ્નિકાય.
જે જીવો ચૌદરાજ લોક રૂપ જગતના દરેક આકાશ પ્રદેશ ઉપર અસંખ્યાતા અસંખ્યાતા ઠાંસી ઠાંસીને રહેલા હોય છે. જેઓ હણ્યા હણાતા નથી, છેદ્યા છેદાતા નથી, ભેઘા ભેદાતા નથી, પાણીથી ભીંજાતા નથી અને અગ્નિથી બળતા નથી કારણકે આ જીવોનું જે શરીર છે તે એટલું બધું સૂક્ષ્મ છે કે એક અથવા અસંખ્યાતા ભેગા થાય તો પણ ચર્મ ચક્ષુથી જોઇ શકાતું નથી. માટે આ જીવોની હિંસાન પાપ લાગતુ નથી પણ આપણે છદ્મસ્થ હોવાથી કોઇક વાર જગતના સઘળા જીવો મરી જાય અને આ બધું મારૂં થઇ જાય તો કેવું સારૂં આવા વિચાર આવે તેમાં આ જીવોની હિંસાનું પાપ વિચાર માત્રથી લાગી જાય માટે છદ્મસ્થ હોવાથી સતત
એટલો ઉપયોગ રાખવો જોઇએ કે કોઇકાળે આવા વિચાર ન આવી જાય તેની કાળજી રાખવી જોઇએ.
સૂક્ષ્મ અગનિકાય જીવો બે પ્રકારે છે.
(૧) અપર્યાપ્તા સૂક્ષ્મ તેઉકાય (૨) પર્યાપ્તા સૂક્ષ્મ તેઉકાય અપર્યાપ્તા સૂક્ષ્મ તેઉકાય.
શરીર- અંગુલનો અસંખ્યાતમો ભાગ.
આયુષ્ય નિયમા એક અંતર્મુહૂર્તનું
સ્વકાય સ્થિતિ જધન્યથી એક ભવ. ઉત્કૃષ્ટથી. અસંખ્યાતી ઉત્સરપિણી અસંખ્યાતી અવસરપણી કાળ જેટલી એટલે અસંખ્યાતા કાલચક્ર જેટલો કાળ જન્મ મરણ કર્યા કરે છે.
પર્યાપ્તિ-૪. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ પર્યાતિ ચોથી અધુરી હોય છે. પ્રાણ-૪. આયુષ્ય, કાયબલ, સ્પર્શેન્દ્રિય અને શ્વાસોચ્છવાસ પ્રાણ હોય છે.
કોઇપણ સ્થાનેથી મરણ પામી સૂક્ષ્મ તેઉકાય રૂપે ઉત્પન્ન થાય ત્યારે આયુષ્યનો ઉદય થાય
છે તે આયુષ્ય પ્રાણ કહેવાય છે. શરીર પર્યાપ્તિ પૂર્ણ થયે કાયબલ પ્રાણ ચાલુ થાય છે. ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા પછી સ્પર્શેન્દ્રિય પ્રાણ ચાલુ થાય છે અને શ્વાસોચ્છવાસ પર્યામિ શરૂ થયે શ્વાસો ચ્છવાસ પ્રાણ ચાલુ થાય છે. એ અધુરી પર્યાપ્ત એ અવશ્ય મરણ પામતા હોવાથી પ્રાણ પણ અધુરોજ રહે છે.
સૂક્ષ્મ પર્યાપ્તા તેઉકાય.
Page 27 of 234