________________
ગ્રહણ કરી ઔદારિક શરીર રૂપે પરિણમાવી અને વિસર્જન કરવાની જે શક્તિ પેદા કરે છે તે કાયબલ કહેવાય છે.
ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયે ચાર પ્રાણો એકી સાથે પેદા કરે છે. સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુરીન્દ્રિય. આ ચારે ય પ્રાણોના વીશ વિષયો કે સ્પર્શેન્દ્રિયના-૮, રસનેન્દ્રિયના- પાંચ, પ્રાણેન્દ્રિયના-૨ અને ચક્ષુરીન્દ્રિયના પાંચ = ૨૦ થાય છે. તેમાં અનુકૂળ પદાર્થોમાં રાગ વધારતા જવો અને પ્રતિકૂળ પદાર્થોના વિષયોમાં દ્વેષ વધારતા જવો આ પ્રક્રિયાથી પોતાનો સંસાર વધારતા જાય છે.
શ્વાસોચ્છવાસ પર્યાપ્તિથી જગતમાં રહેલા શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી ઉચ્છવાસ રૂપે પરિણમાવી નિઃ શ્વાસ રૂપે વિસર્જન કરવાની જે શક્તિ પેદા કરે છે તે ઉચ્છવાસ પ્રાણ કહેવાય છે.
ભાષા પર્યાપ્ત પૂર્ણ કરે ત્યારે જગતમાં રહેલા ભાષા વર્ગણાના પુદ્ગલોને લઇને ભાષા રૂપે પરિણમાવી એટલે વચન બોલવા રૂપ પરિણમાવી વિસર્જન કરવાની જે શક્તિ પેદા થાય છે તે વચન બલ કહેવાય છે.
યોનિ- તેઇન્દ્રિય જીવોની બે લાખ હોય છે.
ચઉરીન્દ્રિય જીવોની પણ બે લાખ હોય છે. એટલે કે ઉત્પત્તિ સ્થાનો બબ્બે હજાર થાય છે.
પવર્ણ X ૨ ગંધ X ૫ ૨સ X ૮ સ્પર્શ X ૫ સંસ્થાન = ૨૦૦૦
આ બે હજારથી બે લાખને ભાગતા. સો સંખ્યા આવે છે માટે બેઇન્દ્રિયના સો ભેદ. તેઇન્દ્રિયના સો ભેદ તેમજ ચઉરીન્દ્રિયના સો ભેદ થાય છે. તે સો સો ભેદોને બબ્બે હજારથી ગુણાકાર કરતાં બબ્બે લાખ જીવાયોનિ થાય છે. આ સો સો ભેદો કયા સમજવા તે ઉલ્લેખ મલતો નથી.
જે અપર્યાપ્તા જીવો હોય છે તેઓ શ્વાસોચ્છવાસ પર્યાપ્ત પૂર્ણ થયે પરભવનું આયુષ્ય બાંધે છે અને ભાષા પર્યાપ્ત શરૂ કરી અધુરીએ મરણ પામે છે. કેટલાક જીવો ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કર્યા બાદ શ્વાસોચ્છવાસ પર્યાપ્તિની શરૂઆતમાં પણ આયુષ્ય બાંધી શકે છે. મતાંતરે વિકલેન્દ્રિય અપર્યાપ્તા જીવો શ્વાસોચ્છવાસ અધુરીએ મરણ પામે છે એમ વાત છે કારણકે દરેક લબ્ધિ અપર્યાપ્તા જીવો શ્વાસોચ્છવાસ અધુરી પર્યાપ્તિએ મરણ પામે એમ કેટલાક આચાર્યો માને છે.
આ બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય જીવોને વિકલેન્દ્રિય રૂપે જ્ઞાની ભગવંતોએ કહેલા છે.
સંપૂર્ણ ઇન્દ્રિયોથી ઓછી ઓછી ઇન્દ્રિયો જેને હોય તે વિકલેન્દ્રિય કહેવાય છે. આ વ્યાખ્યાથી એકેન્દ્રિય જીવો પણ આવી શકે પણ એકેન્દ્રિય જીવોને સ્થાવર તરીકે જ કહેલા હોવાથી તેઓને લીધેલ નથી માટે વિકલેન્દ્રિયથી આ ત્રણ જ ગણાય છે.
વિકલેન્દ્રિય જીવો પોત પોતાના ઉત્કૃષ્ટ આયુષ્ય રૂપે પોતાના ભવો કરે તો આઠ ભવોથી વધારે કરતા નથી એટલે કે આઠ ભવે તેઓને યોનિ બદલવી જ પડે છે. એટલે કે બેઇન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાર વરસનું છે તો તે બાર વરસના આઠ ભવ કરે પછી નવમે ભવે બેઇન્દ્રિય પણે ઉત્પન્ન ન થઇ શકે પણ તેઇન્દ્રિયાદિ ત્રસમાં કોઇપણ થઇ શકે પછી એ ભવપૂર્ણ કરી પાછો ઉત્કૃષ્ટ આયુષ્ય રૂપે બેઇન્દ્રિય થઇ શકે એમ ઉત્કૃષ્ટ આયુષ્યના આઠ આઠ ભવ કરતાં વચમાં બીજા ભવો એક એક કરતાં એક હજાર સાગરોપમ કાળ સુધી જન્મ મરણ કર્યા કરે પછી એક અંતર્મુહૂર્તનો પંચેન્દ્રિયનો ભવ કરે. પાછા એક હજાર સાગરોપમ સુધી
Page 81 of 234