________________
સાત નારકીઓનાં નામો :- ૧- ધમ્મા, ૨- વંશા, ૩- શેલા, ૪- અંજના, ૫- રિષ્ટા, ૬- મઘા અને ૭માઘવતી નામની છે.
દરેક પૃથ્વીની જાડાઇમાં પ્રતિરો અને આંતરા આવેલા હોય છે. જેમ મકાનને મજલા-માળ હોય તે માળથી ઉપરના બીજા માળનો ભેદ પાડનાર ભારવટ-ગડર આદિથી માળ જડાય છે. તે ભારવટીયા કે જડતર જેવો પ્રતર સમજવો. દરેક પ્રકરથી બીજા પ્રતરના વચમાં આંતરૂં હોય છે. દરેક પ્રતરની જાડાઈ ત્રણ હજાર યોજન હોય છે. ઉપરના હજાર યોજન અને નીચેના હજાર યોજન ગાઢ છે અને વચલા હજાર યોજનમાં પોલાણ હોય છે. જેમાં નરકાવાસો આવેલા છે. દરેક નરકાવાસની ઉંચાઈ એક હજાર યોજન હોય છે પણ ઉપરના ભાગમાં શિખરાકારે-ઘુમ્મટાકારે કે અણીવાળા થતા હોવાથી સકુચિત વિસ્તારે હોય છે.
પહેલી રત્નપ્રભા પૃથ્વી અને નારકીનું વર્ણન.
જંબુદ્વીપના બરાબર મધ્ય ભાગમાં મહાવિદેહક્ષેત્ર આવેલું છે. તે મહાવિદેહ ક્ષેત્રની બરાબર મધ્યમાં મેરૂ પર્વત આવેલો છે. તે મેરૂ પર્વતની સમભૂતલા નામની પૃથ્વીની સપાટી જે હોય છે ત્યાંથી રત્નપ્રભા પૃથ્વીની શરૂઆત ગણાય છે કે જે ૧૮0000 યોજન જાડાઇવાળી આવેલી છે તેના ત્રણ કાંડ કહેલા છે. પહેલો સોળ હજાર યોજન વાળો રત્ન કાંડ આવેલો છે. તેમાં એક એક હજાર યોજનમાં જુદી જુદી જાતનાં એટલે સોળ જાતનાં રત્નો આવેલા છે એટલે છૂટા છૂટા રહેલા હોય છે. તેથી રત્નકાંડ કહેવાય છે. પછી બીજો ૮૪000 (ચોરાસી હજાર) યોજનાનો અંક કાંડ આવેલો છે તેમાં મોટાભાગે કાદવ વિશેષ રહેલો છે અને ત્રીજો છેલ્લો જલકાંડ તે એંશી હજાર (20000) યોજનનો આવેલો છે કે જેમાં વિશેષ રીતે જલ ભરેલું હોય છે. આ રીતે પહેલી પૃથ્વી ૧૬OO0 + ૮૪000 + ૮OOOO યોજન = એક લાખ એંશી હજાર યોજન થાય છે. (૧૮OOOO)
આ પૃથ્વીના એક હજાર યોજન ઉપરના છોડીને અને એક હજાર યોજન નીચેના છોડીને બાકીના એક લાખ અઢોત્તેર હજાર (૧૭૮૦૦૦) યોજનને વિષે પહેલી નારકીના તેર પ્રતિરો આવેલા છે. તે દરેક પ્રતરોની વચમાં વચમાં આંતરૂં રહેલું હોય છે માટે તેર પ્રતરના આંતરા બાર થાય છે. એ જે તેર પ્રતિરો આવેલા છે તેમાં વચમાં પોલાણ ભાગ રહેલો હોય છે તે પોલાણ ભાગમાં નરકવાસો આવેલા છે આ તેર પ્રતરો પહોળાઇમાં એક રાજ પહોળા હોય છે. એક રાજ એટલે અસંખ્યાતા કોટાકોટી યોજન થાય છે. આ દરેક પ્રતરો ત્રણ હજાર યોજન ઉંચાઇ વાળા હોય છે તેમાં વચલા હજાર યોજનમાં પોલાણ ભાગ હોય છે ત્યાં નરકાવાસો આવેલા છે.
ચૌદરાજલોક રૂપ જગતને વિષે મધ્યમાં એક લાખ યોજનનો જંબુદ્વીપ નામનો દ્વીપ આવેલો છે તેમ ઉર્ધ્વલોકમાં સર્વાર્થ સિધ્ધ નામનું વિમાન તેજ સપાટી ઉપર બરાબર એક લાખ યોજનનું આવેલું છે તેવી જ રીતે અધોલોકમાં તેજ સપાટીથી બરાબર નીચેના ભાગમાં સાતમી નારકીનો વચલો મધ્યભાગમાં રહેલો અપ્રતિષ્ઠાન નામનો નરકાવાસ આવેલો છે. જેવી રીતે ચૌદરાજલોક રૂપ જગતને વિષે બરાબર મધ્ય ભાગમાં પીસ્તાલીશ લાખ યોજન પ્રમાણ મનુષ્ય લોક આવેલો છે. તેવી જ રીતે ઉર્ધ્વલોકમાં બરાબર એ જ સપાટીએ પીસ્તાલીશ લાખ યોજન પ્રમાણ સિધ્ધશીલા નામની પૃથ્વી આવેલી છે કે જે જીવો મનુષ્યલોકમાંથી જે સ્થાનેથી સિધ્ધ
Page 83 of 234