________________
આના સિવાય જે કોઇ એ સાધારણ વનસ્પતિકાયને કાપે, છેકે, સ્પર્શ કરે, દબાવે, શેકે અથવા પથ્થર મારે વગેરે વેદનાઓ જુદી થાય છે એટલે તેનું દુઃખ એટલું વિશેષ પ્રકારે હાય છે.
અહીં જરાપણ દુઃખ આવે તો સહન થતું નથી હાય વોય થાય છે ક્યારે જાય ક્યારે જાય એવા વિચારોમાં ને વિચારોમાં સ્થિર થઇએ છીએ તો આવી વેદનામાં જવાનું થશે તો રાગાદિ પરિણામની સ્થિરતા દુઃખ ભોગવવા માટેની કેવી રીતે રહેશે ? નહિ તો ત્યાં પણ રાગાદિ પરિણામ કરતાં કરતાં જન્મ મરણ વધારતા જઇશું. શાસ્ત્રોમાં કહ્યું છે કે નિગોદમાં રહેલા જીવો પોતાને મળેલ શરીરનું મમત્વ કરતાં કરતાં પોતાના જન્મ મરણની પરંપરા વધારતા જાય છે. જો ત્યાં આ દશા હોય તો અહીં તો આપણે જે મમત્વ કરીએ છીએ તેનાથી થશે શું ? માટે વિચારવા જેવું છે !
પ્રત્યેક વનસ્પતિકાય જીવોનું વર્ણન
સામાન્ય રીતે એક શરીરમાં એક જીવ તેનું નામ પ્રત્યેક વનસ્પતિ કહેવાય છે. પણ શ્રી પક્ષવણા સૂત્રના આધારે વિચારીએતો એક શરીરમાં એક-બે-ત્રણ-સંખ્યાતા કે અસંખ્યાતા જીવો રહેલા હોય તે બધાય પ્રત્યેક કહેવાય છે. કારણકે એક શરીરમાં અનંતા જીવો હોય તે સાધારણ કહેવાય એક શરીરમાં એક હોય તે પ્રત્યેક કહીએ તો એક શરીરમાં બે ત્રણ સંખ્યાતા અસંખ્યાતા જીવો પણ હોઇ શકે છે તેઓને શું કહેવું એ વિચારણીય થઇ જાય છે માટે જ્ઞાનીઓએ જે વાત કરી છે તે બરાબર બેસે છે માટે આ પ્રમાણે લખેલ છે.
ફળ, ફૂલ, છાલ, કાષ્ટ, મૂલ, પાંદડા, બોજો વગેરે પ્રત્યેક વનસ્પતિકાય જીવો કહેવાય છે. લોક પ્રકાશના આધારે પ્રત્યેક વનસ્પતિનું વર્ણન.
આખા વૃક્ષનો એક જીવ હોય છે તેને આશ્રયીને દશે પ્રકારના અવયવોનાં જીવો રહેલા છે. (૧) મૂળ (૨) સ્કંદ (૩) કંદ (૪) શાખા (પર્વ) (૫) છાલ (૯) પ્રવાલ (૭) પત્ર (પાંદડા) (૮) પુષ્પ (૯) ફળ અને (૧૦) બીજ. આ દશે અવયવો ક્રમસ૨ વૃક્ષને આશ્રયીને રહેલા છે. પત્રે પત્રે, ફળે ફળે, અને બીજે બીજે એક એક જીવ હોય. પુષ્પ પુષ્પ અનેક જીવો હોય છે અને બાકીના છ અવયવોને વિષે દરેકમાં અસંખ્ય અસંખ્ય જીવો હોય છે. આવી રીતે વિચારતાં આખા વૃક્ષમાં અસંખ્ય પ્રત્યેક જીવો હોય છે.
તાલ-તમાલ-નાળીયેરી-ખજુરી-પૂગફળી-કેતકી-જીવંતી-કંદલી-લવંગ વૃક્ષ-સરલ-ચર્મવૃક્ષ-હિંગવૃક્ષતકકલી-તેતલી સાલ-સાલ-કલ્યાણ-ચૂતવૃક્ષ વગેરેનાં સ્કંધોમાં એક જીવ હોય છે અને આખા વૃક્ષમાં સંખ્યાતા જીવો હોય છે.
કપિત્થ (કોઠા), આંબા વગેરેના વૃક્ષોમાં અસંખ્યાતા જીવો હોય છે. શીંગોડાના ગુચ્છમાં અનેક જીવો હોય છે. પત્રમાં એટલે શીંગોડાના પત્રમાં એક જીવ હોય અને ફળમાં બે જીવો હોય છે. દરેક વૃક્ષના ગુ
વગેરેમાં પ્રાયઃ સંખ્યાતા જીવો હોય છે.
પ્રત્યેક વનસ્પતિના બાર ભેદો હોય છે
Page 48 of 234