________________
તેમાંથી જગતમાં રહેલા ભાષા વર્ગણાના પુદ્ગલોને લેવાની એટલે ગ્રહણ કરવાની જે શક્તિ પેદા કરે તે ભાષા પર્યાપ્તિ કહેવાય છે.
પ્રાણો-૬. આયુષ્ય, કાયેબલ, સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, શ્વાસોચ્છવાસ અને વચન બલ.
જે સ્થાનમાંથી બેઇન્દ્રિયપણા રૂપે આયુષ્યનો ઉદય થયેલો હોય તે આયુષ્ય પ્રાણ. શરીર પર્યાતિ પૂર્ણ થયે કાયબલ નામનો પ્રાણ શરૂ થાય. ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયે સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિય બે પ્રાણોની શરૂઆત થાય છે. શ્વાસોચ્છવાસ પર્યાતિ પૂર્ણ થયે શ્વાસોચ્છવાસ (ઉચ્છવાસ) પ્રાણ શરૂ થાય છે અને ભાષા પર્યાપ્તિ પૂર્ણ થયે વચન બલ પ્રાણ શરૂ થાય છે. આ રીતે છ પ્રાણો શરૂ થાય
યોનિ આ જીવોની સમુદાય ગત બે લાખ જીવાયોનિ હોય છે.
એટલે સો પ્રકારની જુદી જુદી જાતિ વિશેષ હોય છે તેને ૨૦૦૦ ઉત્પત્તિ સ્થાને ગુણાકાર કરવાથી બે લાખ જીવાયોનિ થાય છે.
બઇન્દ્રિય જીવોનું વર્ણન સમાપ્ત
તેઇન્દ્રિય જીવોનું વર્ણન
જે જીવોને સ્પર્શેન્દ્રિય-રસનેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય આ ત્રણ ઇન્દ્રિયો હોય તે તે ઇન્દ્રિય જીવો કહેવાય છે.
ગદૈયા, માંકણ, જૂ, કીડીઓ, ઉધઇ, મંકોડા, ઇયળ, ધીમેલ ઇત્યાદિ અનેક પ્રકારના તેઇન્દ્રીય જીવો હોય છે. એકેન્દ્રિયપણામાંથી બઇન્દ્રિય પણે પામવા માટે જેમ અકામ નિર્જરા કરતો દુઃખ વેઠીને પુણ્ય એકઠું કરતો બેઇન્દ્રિયપણાને પામે છે પણ તેનો સ્વભાવ જે નવો પડે છે તે જોયું તેનું મૂલકારણ રસનેન્દ્રિય છે. સ્પર્શેન્દ્રિયની પ્રાપ્તિ થી તેના આઠ વિષયો કે જે ગુરૂ-લઘુ, શીત-ઉષ્ણ, મૃદુ-કર્કશ સ્નિગ્ધ અને રૂક્ષ તેમાં અનુકૂળતા શોધતો અને પ્રતિકૂળતાથી છેટો રહેતો તે બેઇન્દ્રિયપણામાં રસનેન્દ્રિયથી આહારના પુદ્ગલોમાં કડવો, તીખો, તૂરો, ખાટો, મીઠો એમ પાંચ વિષયોમાં અનુકૂળતામાં વિશેષ રાગ કરતો અને પ્રતિકૂળતામાં વિશેષ દ્વેષ કરતો કરતો કર્મબંધ અધિક કરી સંસારમાં પરિભ્રમણ કરી રહેલો હોય છે તેમ આ તે ઇન્દ્રિય જીવોને સ્વભાવ એવા પ્રકારનો પડતો જાય છે કે સ્પર્શેન્દ્રિયથી આઠ સ્પર્શોના વિષયોમાં, રસનેન્દ્રિયના પાંચ વિષયોમાં એમ તેર વિષયોમાં પોતાને મળેલ એટલે પુણ્ય અધિક બાંધીને ધ્રાણેન્દ્રિય પ્રાપ્ત કરી તેનાથી સુગંધ અને દુર્ગધ રૂપ વિષયામાં ફસાઇ જાય છે એટલે કે ગમે તેટલા સારા સ્વાદવાળા પુદ્ગલોનો આહાર મલે તો પણ તેમાં ગંધ કેવા પ્રકારની છે તે સૌથી પહેલા તપાસ કરશે તેને પોતાને ગંધ માફક આવશે તો ગમે તેવા રસવાળા પુદગલોનો આહાર હશે તો પોતે ખાશે એટલે તેનો ઉપયોગ કરશે પણ સારા રસવાળા પુદગલો જીભને અનુકૂળ હશે પણ પોતાને અનુકૂળ એવી ગંધવાળા નહિ હોય તો તે પુદ્ગલોનો આહાર કરશે નહિ. ભૂખે રહેશે. બીજે આહારની શોધ માટે જશે પણ એ આહારના પગલોને નહિ ખાય એ સ્વભાવ તે ઇન્દ્રિય એટલે ધ્રાણેન્દ્રિય મલે
Page 71 of 234