________________
पझ्चेन्द्रियतिरश्चामपि चत्वारो योनिलक्षाः कुलकोटीलक्षास्तु जलचराणामद्धीत्रयोदश पक्षिणां द्वादश चतुष्पदानां दश उरः परिसपणां दश भुजपरिसणां नव वेदनाश्च नानारूपा यारितरश्चा सम्भवन्ति वाः पत्यक्षा एवोत.
उक्तं च “ હમત્યુિujમચાર્દૂિતાના, पराभियोग व्यसनातुराणाम् ।
अहो ! तिरश्चामतिदुःखितानां,
જુવITTS: નિ વાdhત //// ‘વિકલેંદ્રિય” ના પણ ત્રણ પ્રકાર છે: “૧- એક બેઇંદ્રિય, ર-બીજો તે ઇદ્રિય અને ૩-ત્રીજો ચતુરિંદ્રિય' તે પૈકીના ૧-બે ઇંદ્રિયોવાળા જીવોની યોનિ બે લાખ છે અને કુલ કોટિ સાત લાખ છે.
અને ત્રણ ઇંદ્રિયોવાળા જીવોની યોનિ બે લાખ છે અને કુલકોટિ આઠ લાખ છે.
તથા ચાર ઇંદ્રિયોવાળા જીવોની યોનિ બે લાખ છે અને કુલકોટિ નવ લાખ છે. આ ત્રણે પ્રકારના જીવોને સુધા, પપાસા, શીત અને ઉષ્ણ આદિથી ઉત્પન્ન થતું દુઃખ પ્રત્યક્ષજ છે.
પંચેન્દ્રિય તિર્યચ’ જીવોના પ્રકાર પાંચ છે : “એક જલચર ૨- ખેચર, ૩- ચતુષ્પદ એટલે ચાર પગથી ચાલનાર સ્થલચર ૪- ઉર:પરિસર્પ એટલે છાતીથી ચાલનાર સ્થલચર અને પ- ભુજપરિસર્પ એટલે ભુજાથી ચાલનાર સ્થલચર.” એ પૈકીના
૧. ‘જલચર’ એટલે પાણીમાં ચાલનાર મત્સ્ય આદિ જીવોની યોનિ ચાર લાખ છે અને કુલકોટિ સાડાબાર લાખ છે.
૨. “ખેચર’ એટલે આકાશમાં ઉડનાર પક્ષીઓની યોનિ ચારલાખ છે અને કુલકોટિ બાર લાખ છે.
૩. “ચતુષ્પદ' ચાર પગે ચાલનાર સ્થલચર ના પ્રથમ ભેદના જીવોની યોનિ ચાર લાખ છે અને કુલકોટિ દશ લાખ છે.
૪. “ઉર:પરિસર્પ” એટલે છાતીથી ચાલનાર સ્થલચર ના બીજા ભેદના જીવોની યોનિ ચાર લાખ છે અને કુલકોટિ દશ લાખ છે.
૫. ‘ભુજપરિસર્પ” એટલે ભુજાથી ચાલનાર સ્થલચર ના ત્રીજા ભેદના જીવોની યોનિ ચાર લાખ છે અને કુલકોટિ નવ લાખ છે. આ પાંચેય પ્રકારના તિર્યંચોને જે વિવિધ પ્રકારની વેદનાઓ સંભવે છે તે પ્રત્યક્ષજ છે.
કહેલું છે કેઅહો ! ક્ષુધા, તુષા, હિમ, અતિ ઉષ્ણ અને ભયથી પીડિત અને પરનો અભિયોગ તથા અનેક પ્રકારનાં કષ્ટોથી આતુર એજ કારણે અતિશય દુઃખિત એવા તિર્યંચોને સુખનો યોગ છે એમ કહેવું એ ખાલી વાતો કરવાં જેવું છે કારણ કે-એ બીચારા જીવોને સુખ હોવાનો સંભવ નથી.
Page 59 of 234