________________
જલચરો ઉપરના જલમ :
ત્રસ તિર્યંચો પૈકીના-દ્વાદ્રિય, ત્રીદ્રિય અને ચતુરિંદ્રિય’ આ ત્રણ વિભાગમાં વહેંચાયેલા વિકલૈંદ્રિય તિર્યંચોની દુઃખદ દશાનું વર્ણન કર્યા પછી ‘જલચર, સ્થલચર અને ખેચર’ આ ત્રણ વિભાગમાં વહેંચાયેલા પંચેન્દ્રિય તિર્યંચોની ત્રાસજનક દશાનું વર્ણન કરવાના હેતુથી પ્રથમ જલચર જીવો ઉપર ગુજરતા જુલમોનો ખ્યાલ આપતાં એજ સુવિહિત શિરોમણિ સૂરિપુરંદર ફરમાવે છે કે
“पंचेद्रिया जलचराः, खादन्यन्योन्यमुत्सुकाः / ધીરે; પરહજો
દિ : //// उत्कील्यन्ते त्वचपदभिः प्राप्यन्ते च भटिवताम् ।
भोक्तुकामैर्विपच्यन्ते, निगाल्यन्ते वसाथिभिः //९// સ્પર્શના, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રોત આ પાંચ ઇંદ્રિયોને ધરાવતા જલચર જીવો ઉપર અન્ય હિંસક આત્માઓ તરફથી જુલમો ગુજરે છે એની સાથે એ જીવોના પરસ્પરના જુલ્મો પણ ઘણાજ છે કારણકે-એ જીવો ઉત્સુક્તાપૂર્વક પરસ્પરને ખાય છે. એક બીજાને ખાતા એ જીવોની ધોવરો દ્વારા ધરપકડ થાય છે, એ જીવોને બગલાઓ ગળી જાય છે, ત્વચાના અર્થિઓ એ જીવોની ચામડી ઉતરડી નાખે છે અને ભટિત્રપણાને પમાડે છે, એ જીવોનું ભક્ષણ કરવાની કામનાવાળાઓ એ જીવોને સારી રીતિએ પકાવે છે અને વસાના અર્થિઓ, એ જીવો ઉપર નિગાલન ક્રિયા પણ કરપીણ રીતિએ કરે છે. સ્થલચરોની દુઃસ્થિતિ:
“જલચર જીવો ઉપર ગુજરતા જુલમોનું વર્ણન કર્યા પછી સ્થલચર જીવોની દુઃસ્થિતિનું વર્ણન કરતાં કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા લખે છે કે
"स्थलचारिपु चोत्पन्नाः अबला बलवतरैः । मृगाद्याः सिंहप्रमुखै मर्यिन्ते मांसकाक्षभिः //9//
मृगयासक्तचितैक्ष, क्रीडया मांसकाम्या । नरैरवत्तदुपायेन, हन्यन्तेडनपराधिनः ////
क्षुधापिपासाशीतोष्णा-तिभारारोपणादिना /
कशाइकुशमतोदैश्च, वेदनां प्रसहन्त्यमो //३//' સ્થલચારિ જીવો તરીકે ઉત્પન્ન થયેલાઓની પણ ઘણીજ ખરાબ દશા છે કારણ કે-એમાં પણ બળવાનું જીવો નબળાઓનો નાશ કરે છે. સ્થલચર તરીકે ઉત્પન્ન થયેલા નિર્બળ હરણીયો વિગેરે, અતિશય બળવાનું અને માંસના અભિલાષી સિંહ વગેરે સ્થલચરો દ્વારા મરાય છે : અન્ય પણ નિરપરાધી સ્થલચર જીવો, શિકાર ખેલવામાં આસક્ત ચિત્તવાળા મનુષ્યો દ્વારા ક્રીડાના હેતુથી અથવા તો માંસની કામનાથી તે તે ઉપાયોપૂર્વક હણાય છે : વળી આપણી દ્રષ્ટિએ દેખાતા અનેક પ્રકારના સ્થલચર જીવો, ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ અને અતિભારનું આરોપણ એ આદિદ્વારા અને ચાબુક, અંકુશ અને પરોણાઓથી ઘણી વેદનાને સહન કરે છે. ખેચરોનો દુઃખદ દશા :
સ્થલચર જીવોની દુઃસ્થિતિનું દર્શન કરાવ્યા બાદ ખેચરોની દુઃખદ દશાનું વર્ણન કરતાં એજ આચાર્ય મહારાજા ફરમાવે છે કે
Page 64 of 234