________________
પ્રકારે રહેલા તિર્યંચગતિના આત્માઓને ભોગવવી પડતી વેદનાઓનો કંઇક વિશેષ ખ્યાલ આપતાં શું શું ફરમાવ્યું છે એ જોઇએ.
તિર્યંચ ગતિમાં પણ ભિન્ન ભિન્ન અવસ્થાને પામેલા આત્માઓની ત્રાસજનક દશાનું પ્રતિપાદન કરતાં કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ ‘બેઇંદ્રિય' આદિ ત્રસ તિર્યંચોની ત્રાસજનક દશાનું કંઇક સ્પષ્ટતાથી કરેલું પ્રતિપાદન. રક્ષક તો એકજ :
સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામિજી મહારાજાએ, સંસારવર્તિ પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય થાય એ હેતુથી સમજાવવા ધારેલો કર્મનો વિપાક સહેલાઇથી સમજી શકાય એ કારણે ચારે ગતિના જીવોની યોનિ આદિને સમજાવતાં ટીકાકાર પરમર્ષિએ, પ્રથમ નરકગતિના જીવોની યોનિ, કુલકોટિ અને ઉત્કૃષ્ટ સ્થિતિનું પ્રતિપાદન કરવા સાથે તે જીવોની વેદનાઓનો પણ કંઇક ખ્યાલ આપ્યો. એ પછી તિર્યંચગતિમાં રહેલા એકેંદ્રિય આદિ જીવોની પણ યોનિ અને કુલકોટિની સંખ્યા કહેવા સાથે એ જીવોની વેદનાઓનો પણ સામાન્ય ખ્યાલ એ મહર્ષિએ આપ્યો. એકેંદ્રિય આદિ જીવોની વેદનાઓનો જે ખ્યાલ ટીકાકાર મહર્ષિએ આપ્યો છે તે ઘણોજ સંક્ષેપમાં હોવાથી આપણે એવા જીવોની વેદનાઓનું સ્વરૂપ કંઈક વિશેષ પ્રકારે જાણવા માટે એ જીવોની વેદનાઓના જે પ્રકાર કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ, શ્રી યોગશાસ્ત્રમાં સંસારભાવનાના સ્વરૂપનું વિવરણ કરતાં જણાવ્યા છે તે જોઇ રહ્યા છીએ. “પૃથિવીકાય” આદિ પાંચ પ્રકારના એકેંદ્રિય જીવોને કેવા કેવા પ્રકારની વેદનાઓ અવિરતપણે ભોગવ્યા કરવી પડે છે એ આપણે જોઇ આવ્યા. એ જોતાં આપણે એ વસ્તુ નિશ્ચિત કરી આવ્યા કે
પૃથ્વિકાર્ય આદિના જીવો છે અને તેઓ ઘણી ઘણી વેદનાઓ ભોગવે છે એ વિગેરેનું વર્ણન કરી એના પણ રક્ષણનું વિધાન કોઈ પણ શાસન કર્યું હોય તો તે એક શ્રી જિનેન્દ્રદેવોનું શાસન છે અને એ જીવોને પૂરેપુરું રક્ષણ જો કોઈ પણ તરફથી મળતું હોય તો તે શ્રી જિનંદ્રદેવોએ જાતે સેવીને શક્ય રીતિએ ઉપદેશેલી એક સાધુતાજ છે. બેઈદ્રિયોની બુરી દશા :
હવે ‘બેઇદ્રિય, ત્રી ઇન્દ્રિય, ચતુરિંદ્રિય અને પંચેદ્રિય” આ ચારે પ્રકારના ત્રસ તિર્યંચોની ત્રાસજનક દશાનું કંઇક સ્પષ્ટતાથી પ્રતિપાદન કરતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ ક્રમસર બેઇંદ્રિય આદિની બૂરી દશાનું વર્ણન કર્યું છે, પ્રથમ ‘બેઇંદ્રિય’ જીવોની બૂરી દશાનું વર્ણન કરતાં એ પ્રવચન પરમાર્થવેદી પરમર્ષિ પ્રરૂપે છે કે
"दिन्द्रियत्वे च ताप्यन्ते, पीयन्ते पूतरादयः । चूर्णन्ते कमयः पादै-भक्ष्यन्ते चटकादिभिः //91/ शंखदयो निखन्यन्ते, निकृष्यन्ते जलौकसः ।
0IUqVદ્વાWI: WIFો , 10 દ્રૌપાટિ: //// ‘પૂતર” (પૂરા) આદિ જીવો બેઇદ્રિયવાળા હોય છે. એ જીવોને સ્પર્શના અને રસના આ બે ઇંદ્રિયો હોય છે. એ જીવોની દશા ઘણીજ બૂરી હોય છે. કારણકે- પૂતર આદિ બે ઇંદ્રિયોવાળા જીવો, તાપમાં તપાવાય છે
Page 62 of 234