________________
બાદર વાયુકાય જીવોના બે ભેદો છે.
(૧) અપર્યાપ્તા બાદર વાયુકાય (૨) પર્યાષ્ઠા બાદર વાયુકાય. અપર્યાપ્તા બાદર વાયુકાય
શરીર-અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું આયુષ્ય- નિયમા એક અંતર્મુહૂર્તનું જ હોય.
સ્વકાયસ્થિતિ- જધન્યથી એક ભવ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સરપિણી, અસંખ્યાતી અવસરપિણી એટલે અસંખ્યાતા કાલચક્રો સુધી જન્મ મરણ થયા કરે.
પર્યાપ્તિ-૪. આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ અને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ.
આ ચોથી પર્યાપ્ત અધુરી હોય છે કારણકે અપર્યાપ્તા જીવો નિયમા ચોથી પર્યાપ્ત અધુરીએ મરણ પામે
પ્રાણો-૪. આયુષ્ય, કાયબલ, સ્પર્શેન્દ્રિય અને શ્વાસોચ્છવાસ.
જ્યારથી બાદર અપર્યાપ્તા વાયુકાય રૂપે આયુષ્યનો ઉદય ચાલુ થાય ત્યારથી આયુષ્ય પ્રાણ ચાલુ થાય છે. શરીર પર્યાપ્ત પૂર્ણ થયે કાયબલ પ્રાણ શરૂ થાય છે. ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયે સ્પર્શેન્દ્રિય પ્રાણ ચાલુ થાય છે અને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ શરૂ થયે શ્વાસોચ્છવાસ પ્રાણ શરૂ થાય છે. આ ચોથો પ્રાણ હંમેશા અધુરોજ રહે છે.
એક એક બાદર પર્યાપ્તા વાયુકાય જીવની નિશ્રાએ એટલે એટલી જ અવગાહનામાં અસંખ્યાતા લોકાકાશના આકશ પ્રદેશ જેટલા જીવો એટલે અસંખ્યાતા બાદર પર્યાપ્તા વાયુકાય જીવો હંમેશા રહેલા હોય છે. આ જીવોની સમુદાય રૂપે સાતલાખ યોનિ કહેલી છે. જુદી કહેલી ન હોવાથી કહી નથી. બાદર પર્યાપ્તા વાયુકાય જીવો
શરીર-અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું હાય છે.
આયુષ્ય- જધન્યથી એક અંર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ત્રણ હજાર વર્ષનું હોય છે.
સ્વકાય સ્થિતિ- જઘન્યથી એક ભવ. કોઇ જીવ બાદર પર્યાપ્તા વાયુકાય રૂપે ઉત્પન્ન થઇ બીજે ઉત્પન્ન થાય તેવા જીવોને આશ્રયીને ગણાય અને ઉત્કૃષ્ટથી જઘન્ય-જઘન્ય આયુષ્યવાળા-જઘન્ય-મધ્યમ આયુષ્યવાળા અને મધ્યમ મધ્યમ આયુષ્યવાળા જીવોને આશ્રયીને અસંખ્યાતી ઉત્સરપિણી અસંખ્યાતી અવસરપણી એટલે અસંખ્યાતા કાળચક્રો સુધી જન્મ મરણ કરવા રૂપ કાય સ્થિતિ હોય છે. ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ આયુષ્ય રૂપે સ્વકાય સ્થિતિ આઠ ભવોની હોય છે. એટલે આઠ ભવથી વધારે ભવો ઉત્કૃષ્ટ આયુષ્યવાળા કરી શકતા નથી. આવા ઉત્કૃષ્ટ આયુષ્યવાળા જીવો મોટા ભાગે ઘનવાત-તનુવાત વાયુરૂપે રહેલા હોય અથવા લવણ સમુદ્રના પાતાલકળશાના નીચેના ભાગમાં અંદર જે વાયુ રહેલો હોય છે તે વાયુરૂપે પણ હોઇ શકે છે. અહીંયા જે જીવોને પવન વિશેષ ગમતો હોય, ઠંડકમાં રહેવું વધારે પસંદ પડતું હોય તથા જ્યાં પવન આવે એવી જગ્યા હોય તે ખુબજ ગમતી હોય, તેમાં આનંદ આવતો હોય, હાસ થતું હોય તો એવા જીવો તેમાં આનંદ પ્રાપ્ત કરી કરીને દશભવ-સોભવ-હજાર ભવો ઇત્યાદિ અનુબંધ રૂપે ભવની પરંપરા બાંધીને આવા વાયુકાય જીવ રૂપે ઉત્પન્ન થયા કરે છે અને તેમાં ત્રણ ત્રણ હજા૨વાળા ઉત્કૃષ્ટ આયુષ્ય રૂપે ઉત્પન્ન થઇ આઠ ભવો કરી યોનિ બદલી એક અંર્મુહૂર્ત બીજી યોનિમાં રહી પાછો વાયુકાય રૂપે આઠ ભવો કરે આવી રીતે અસંખ્યાતા કાળચક્રો Page 37 of 234