________________
તેજસ્કાય' પણાને પામેલા જીવો ૧. જલાદિ દ્વારા બુજાવી નખાય છે, ૨. ઘનાદિથી પુષ્કળ કુટાય છે અને ૩. ઇન્જન આદિ દ્વારા જવાજલ્યમાન કરાય છે.
તેઉકાય સંપૂર્ણ
વાયુકાય જીવોનું વર્ણન
પવન છે શરીર જે જીવોનું તે વાયુકાય જીવો કહેવાય છે. વાયુકાય જીવોના બે ભેદ હોય છે. (૧) સૂક્ષ્મ વાયુકાય (૨) બાદર વાયુકાય
સૂવાયુકાય- હણ્યા હણાતા નથી, છેદ્યા છેદાતા નથી, ભેદ્યા ભેદાતા નથી, પાણીથી ભીંજાતા નથી, અગ્નિથી બળતા નથી એવા ચૌદરાજલોક રૂપ જગતના દરેક આકાશ પ્રદેશ ઉપર અસંખ્યાતા અસંખ્યાતા ઠાંસી ઠાંસીને રહેલા હોય છે.
સૂક્ષ્મ વાયુકાય જીવોના બે ભેદો છે. (૧) અપર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાય (૨) પર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાય.
અપર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાય શરીર-અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું હોય. આયુષ્ય-એક અંતર્મુહૂર્તનું જ હોય છે.
સ્વકાય સ્થિતિ જઘન્યથી એક ભવ. ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સરપિણી, અસંખ્યાતી અવસરપિણી કાળ સુધી જન્મ મરણ થાય.
પર્યાપ્તિ-૪. આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ અને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ. પ્રાણ-૪, આયુષ્ય, કાયબલ, સ્પર્શેન્દ્રિય અને શ્વાસોચ્છવાસ આ ચોથો પ્રાણ અધુરો હોય છે. યોનિ- આ જીવોની સામાન્ય રીતે જુદી કહેલી ન હોવાથી સમસ્તીગત રૂપે સાત લાખ હોય છે.
સૂક્ષ્મ પર્યામાં વાયુકાય શરીર-અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું હોય. આયુષ્ય-નિયમા એક અંતર્મુહૂર્તનું હોય છે.
સ્વકાય સ્થિતિ- જઘન્યથી એક ભવની હોય. ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સરપિણી, અસંખ્યાતી અવસરપિણી એટલે અસંખ્યાતા કાલચક્ર સુધી જન્મ મરણ કર્યા કરે છે.
પર્યાપ્તિ-૪. આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ અને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ.
ઉત્પત્તિના પહેલા સમયે જે આહારના પુગલો ગ્રહણ કરી પરિણમાવે એટલે ખલ અને રસરૂપે પરિણાવવાની શક્તિ પેદા કરે તે આહાર પર્યાપ્તિ અસંખ્યાત સમય સુધી આહારને ગ્રહણ કરી ખલ અને રસરૂપે પરિણમાવવાની વિશેષ શક્તિ પેદા કરે તે શરીર પર્યાપ્તિ કહેવાય છે. અસંખ્યાત સમય સુધી શરીર
Page 35 of 234