________________
પર્યાપ્તિ પછી આહારને ગ્રહણ કરતાં કરતાં જે શક્તિ રસવાળા પુદ્ગલોમાંથી પેદા થાય તે ઇન્દ્રિય પર્યાપ્તિ કહેવાય છે અને ત્યાર પછી આહારના પુદ્ગલોને ગ્રહણ કરતાં અસંખ્યાત સમય બાદ જે શક્તિ પેદા થાય તે શ્વાસોચ્છવાસ પર્યામિ કહેવાય છે.
પ્રાણો-૪. આયુષ્ય, કાયબલ, સ્પર્શેન્દ્રિય અને શ્વાસોચ્છવાસ પ્રાણ.
જે સ્થાને સૂક્ષ્મ પર્યામા વાયુકાયના આયુષ્યનો ઉદય થાય ત્યારથી આયુષ્ય પ્રાણ ગણાય છે. શરીર પર્યાપ્તિ પૂર્ણ થયે કાયબલ પ્રાણ પેદા થાય છે. ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયે, સ્પર્શેન્દ્રિય પ્રાણ પેદા થાય છે અને શ્વાસોચ્છવાસ પર્યામિ પૂર્ણ થયે શ્વાસોચ્છવાસ પ્રાણ પેદા થાય છે કે જેનાથી જીવોને જગતમાં રહેલા શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણમાવી એટલે શ્વાસ નિશ્વાસ રૂપ પરિણમાવી વિસર્જન કરવાની શક્તિ પેદા થાય છે. કાયબલ પ્રાણથી જગતમાં રહેલા ઔદારિક વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણમાવી વિસર્જન કરવાની શક્તિ પેદા થાય છે. સ્પર્શેન્દ્રિય પ્રાણથી જીવને સ્પર્શેન્દ્રિયના આઠ વિષયો તેમાં અનુકૂળ કયા અને પ્રતિકૂળ કયા તે વિચારવાની શક્તિ પેદા થાય અને તેમાં રાગાદિ પરિણામની તીવ્રતા થતી જાય છે.
બાદર વાયુકાય જીવો
ગુંજારવ કરતો વાયુ,
ભમરી વાતો, ઘનવાયુ, તનુ = પાતળો વાયુ એમ અનેક પ્રકારો કહેલા છે. આ જીવો હણ્યા હણાય છે, છેદ્યા છેદાય છે, ભેદ્યા ભેદાય છે, પાણીથી ભીંજાય છે, અગ્નિથી બળે છે એટલે નાશ પામે છે માટે આ જીવોની હિંસાનું પાપ લાગે છે.
સામાન્યથી આ બાદર વાયુના ૧૭ ભેદો હોય છે.
(૧) પૂર્વદિશાનો વાયરો
(૩) ઉત્તર દિશાનો વાયુ
(૫) ઉર્ધ્વ દિશાનો વાયુ
(૭) તિર્થંક્ દિશાનો વાયુ (૯) ગુંજારવ કરતો વાયુ
(૧૧) મંડળીયો વાયુ
(૨) પશ્ચિમ દિશાનો વાયરો (૪) દક્ષિણ દિશાનો વાયુ (૬) અધો દિશાનો વાયુ
(૮) વિદિશાનો વાયુ
(૧૦) ઉક્કલીયો વાયુ
(૧૨) ઝામી વાયુ
(૧૪) સંવર્તક વાયુ
(૧૩) ઝૂઝ વાયુ (૧૫) ઘનવાયુ (૧૭) શુધ્ધ વાયુ આ વાયુકાય જીવોના પ્રકારો છે.
આ સિવાયના બીજા અનેક વાયુકાયના પ્રકારો હોય છે.
આ વાયુકાય જીવો ચૌદ રાજલોકના આકાશ પ્રદેશો ઉપર હોય છે. માટે ક્ષેત્ર ચૌદ રાજલોક ગણાય છે અને જ્યાં જ્યાં ચૌદ રાજલોકમાં પોલાણ ભાગ વિશેષ હોય ત્યાં ત્યાં આ જીવો વિશેષ રહેલા હોય છે અને કઠણ ભાગમાં ઓછા હોય છે. જ્યાં સિધ્ધ પરમાત્માના જીવો રહેલા હોય છે ત્યાં પણ આ બાદર વાયુકાયના જીવો હોય છે.
(૧૬) તનુ વાયુ અને
Page 36 of 234