________________
(૨) પર્યાપ્તા બાદ૨ સાધારણ વનસ્પતિકાય.
બાદર અપર્યાપ્તા સાધારણ વનસ્પતિકાય
શરીર- અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું આયુષ્ય- એક અંતર્મુહૂર્તનું હોય.
સ્વકાય સ્થિતિ- જઘન્યથી એક ભવની અને ઉત્કૃષ્ટથી અનંતી ઉત્સરપણી અનંતી અવસરિપણી કાળ એટલે અનંતા કાલચક્રો હોય છે.
પર્યાપ્તિ-૪. આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાતિ, શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ તેમાં ચોથી પર્યાપ્તિ અધુરી હોય છે.
પ્રાણો-૪. આયુષ્ય, કાયબલ, સ્પર્શેન્દ્રિય, શ્વાસોચ્છવાસ આ ચોથો અધુરો હોય છે. બાદર પર્યાપ્તા સાધારણ વનસ્પતિકાય.
શરીર- અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું
આયુષ્ય- નિયમા એક અંતર્મુહૂર્તનું
સ્વકાય સ્થિતિ- જઘન્યથી એક ભવની અને ઉત્કૃષ્ટથી અનંતી ઉત્સરપણી અનંતી અવસરપણી કાળ એટલે અનંતા કાળ ચક્રો હોય છે. ઉપશમ શ્રેણિપામી અગ્યારમા ગુણસ્થાનકે પહોંચેલા વીતરાગતાનો એક અંતર્મુહૂર્ત અનુભવ કરી ચૂકેલા પડીને પહેલે ગુણસ્થાનકે આવે અને ત્યાંથી બાદર નિગોદમાં અનંતોકાળ રહેવા માટે જાય છે. મોટે ભાગે છેલ્લો ભવ બાકી રહે ત્યારે મનુષ્યપણામાં આવી મોક્ષે જશે. આવા જીવો અત્યારે નિગોદમાં અનંતા રહેલા છે.
પર્યાપ્તિ-૪ :- આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ અને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ.
પ્રાણો-૪. આયુષ્ય, કાયબલ, સ્પર્શેન્દ્રિય અને શ્વાસોચ્છવાસ પ્રાણ.
બાદર પર્યાપ્તા સાધારણ વનસ્પતિ રૂપે જ્યારથી ઉદયમાં આયુષ્યની શરૂઆત થાય ઉદયમાં ત્યારથી આયુષ્ય પ્રાણની શરૂઆત ગણાય છે.
શરીર પર્યાપ્તિ પૂર્ણ થયે કાયબલ પ્રાણ શરૂ થાય. ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયે સ્પર્શેન્દ્રિય પ્રાણ અને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ થયે શ્વાસોચ્છવાસ પ્રાણ શરૂ થાય તે પોતાના આયુષ્ય પ્રાણ સુધી ચાલુ જ રહે છે.
સૂક્ષ્મ પર્યાપ્તા- અપર્યાપ્તા નિગોદના જીવો. ચૌદરાજલોક રૂપ અસંખ્ય આકાશ પ્રદેશના દરેક આકાશ પ્રદેશ ઉપર અનંતા અનંતા જીવો ઠાંસી ઠાંસીને રહેલા હોય છે. ખુદ સિધ્ધના જીવો જે લોકના અગ્રભાગે રહેલા છે ત્યાં પણ તેજ સિધ્ધ જીવોની અવગાહનામાં જ આ સૂક્ષ્મ નિગોદના જીવો અનંતા અનંતા રૂપે રહેલા હોય છે. આ જીવો હણ્યા હણાતા નથી, છેદ્યા છેદાતા નથી, ભેઘા ભેદાતા નથી, પાણીથી ભીંજાતા નથી અને અગ્નિથી બળતા નથી માટે આ જીવોની હિંસાનું પાપ લાગતું નથી.
બાદર પર્યાપ્તા નિગોદના જીવો હણ્યા હણાય છે, છેદ્યા છેદાય છે, ભેદ્યા ભેદાય છે, પાણીથી ભીંજાય છે, અગ્નિથી બળે છે માટે તે જીવોની હિંસાનું પાપ લાગે છે.
આ જીવો ચૌદરાજલોક જગતને વિષે જેટલા પાણીના સ્થાનો છે તે દરેકમાં હોય છે તે સિવાય જેટલી પ્રત્યેક વનસ્પતિ હોય છે તે શરૂઆતમાં ઉત્પન્ન થતી વખતે કુણાસવાળી હોવાથી અનંતકાય હોય છે. પછી Page 45 of 234