________________
પાણીનો ઉપયોગ થાય છે એમ કહેવાય. એટલે બે માટલા કે માટલી રાખવી પડે તો આ અણગળ પાણીના ઉપયોગથી બચી શકાય તથા પીવા સિવાયના બીજા ઉપયોગમાં લેવાતા પાણીને પણ ગળવાનો રીવાજ લગભગ એવી રીતનો હોય છે કે જયાં જયાં નળ હોય ત્યાં ત્યાં લુગડાની કોથળીઓ બાંધી રાખવામાં આવે છે. તેથી જે ચકલીથી પાણીનો ઉપયોગ કરવાનો હોય ત્યાંથી ગળેલું પાણી મલે. પણ વિધિ એ છે કે યાંથી ગળેલું પાણી લીધુ હોય તે ગળણાને એટલે કોથળીને છોડીને સુકવી દેવી પડે નહિતર એ જીવો મરી જાય તેનો દોષ લાગે કારણકે તે કોથળી પડી પડી સુકાઇ જાય તો તેમાં જે ત્રસ જીવો આવેલા હોય તે એમને એમ મરણ પામે તેનો દોષ લાગે છે તો શું કરવું જોઇએ ? તો જ્ઞાનીઓ કહે છે કે પહેલાના કાળમાં કુવામાંથી પાણી લવાતું હતું ત્યારે ત્યાં પાણી ગળીને ત્યાંથી લાવતા અને ગળણાને પણ ગળેલા પાણીથી સાફ કરીને તે પાણી કુવામાં નાંખીને પછી પાછા આવતા. આ ક્રિયાને સંખારો કર્યો કહેવાય છે. આજના કાળમાં સંખારો કરવો હોય તો માટીનું કુંડું રાખવું તેમાં થોડું નળનું પાણી રાખવું અને જયાં જે નળમાં પાણી ગળીને ઉપયોગ કર્યો હોય તે કોથળી કે ગળણું છોડીને તે કુંડામાં સંખારા રૂપે સાફ કરી સૂકવી નાખવાનું . કારણકે તે કોથળીમાં કે ગરણામાં જે ત્રસ જીવો રહેલા હોય તે સંખારાથી તે કુંડામાં આવી જાય અને તેમાં રહેલા પાણીથી તે ત્રસ જીવો પોતાનું આયુષ્ય હોય ત્યાં સુધી જીવ્યા કરે છે તેની જયણા પળાય છે તે કુંડાનું પાણી સાંજના ટાઇમે જયાં ભીની માટી રહેલી હોય તેમાં જઇને ધીમેથી પરઠવી દેવાનું. જો આ રીતે કરવામાં આવે તો અણગળ પાણીના દોષથી બચી જવાય છે .
આજે તો જયાં રહેવા જવા માટે મકાન જોવા જાય તો પહેલા જ પૂછે છે પાણીની સગવડ કેમ છે ? ચોવીશ કલાક પાણીની વ્યવસ્થા છે ? જો એ બરાબર હોય તોજ રહેવાનું લગભગ નક્કી કરે છે આથી ત્યાં અણગળ પાણી ન વપરાય જેમ બને તેમ ઘીની જેમ પાણીનો ઉપયોગ કરવો જોઇએ એ લક્ષ્ય આજે લગભગ નાશ પામી ગયેલ છે. આગળના કાળમાં ઘરડા માણસો ઘ૨માં જે વધારે પાણી ઢોળે એને કહેતા કે આટલું પાણી ન ઢોળાય નહિ તો મરીને પાણીમાં પોરા તરીકે ઉત્પન્ન થઇશ. આજે તો કોઇ કાંઇ કહેનાર રહ્યું નથી ઉ૫૨થી છોકરાઓને પૈસા ખર્ચીને સ્વીમીંગ કોચમાં મોકલે છે. જો છોકરો ન જાય તો ખાસ તૈયાર કરીને સમજાવીને પણ ત્યાં મોકલતા થયા છે તો આ બધી વાતો ક્યાં સમજાવવી અને કોને કહેવી ?
બાદર અકાય જીવોનાં બે ભેદ હોય છે.
(૧) બાદર અપર્યાપ્તા અકાય અને (૨) બાદર પર્યાપ્તા અટ્કાય જીવો
બાદર અપર્યાપ્તા અકાય.
શરીર-અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું હોય છે. આયુષ્ય એક અંતર્મુહૂર્તનું હોય છે.
Page 23 of 234