Book Title: Jalini Ane Shikhi Kumar Author(s): Bhuvanbhanusuri Publisher: Divya Darshan Karyalay View full book textPage 9
________________ થયેલા છ છ બૌદ્ધ ભિખુ શરત મુજબ ઉકળતા તેલકુંડમાં હેમાઈ ગયા, છતાં ય ધગધગતી રહેલી વેરની એ વેદીએ વધુ બલિદાન માટે રાડ નાખી. ત્યારે એક સંદેશ વાદળ બનીને વરસી ગયો અને વેરની એ વેદી બુઝાઈ ગઈ ! વેરના એ વેરાનમાં વાત્સલ્યની વનરાજી ખીલી નીકળી ! આ સંદેશે એટલે જ સમરાદિત્ય કથા ! વેરના પનારે પડીને, અગ્નિશર્માએ નેતરેલી દુઓની દદલી-દુનિયા અને વાત્સલ્યની વાટે-વાટે આગે બઢીને, ગુણસેન રાજાએ સર કરેલી સુખની સહામણ-સૃષ્ટિ, આનું મરણ થતાં જ શ્રી હરિભદ્રસૂરિજીનું અંતર પશ્ચાતાપની તીવ્રવ્યથાથી લેવાઈ ગયું. અને ૧૪૪૪ ગ્રંથ સર્જનનાં શ્રી ગણેશ એઓશ્રીએ આ “સમરાદિત્ય કથાથી માંડ્યા. પ્રાકૃત ભાષામાં રચાયેલી આ કૃતિ-સિરિમ-સમરાઈચ મહા-કહાને વિદ્વાનોએ એક “મહાકથા' તરીકે બિરદાવી. આત્માના વિકાસક્રમમાં વેર-વિસર્જનનું મહત્વ ખૂબ જ અગત્યનું છે. ધમબીજનાં વાવેતર માટે કાળજાની ધરતી કેમળ હેવી અતિ આવશ્યક છે. કાળજાને કઠોર બનાવતું તત્વ “ક્રોધ' છે. ક્રોધના ધોધમાંથી જ વિરોધની વીજળી પેદા થાય છે. વિરોધની આ વીજળીને નાથવામાં ન આવે તે એ વીજ ધિબીજાને બાળી નાખે છે. અને બધિબીજ બળી જતા પછી વિકાસનું વૃક્ષ ધરાશાયી બની જ જાય એ તો દેખીતી-વાત છે! આમ, ધર્મબીજનેPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 516