________________
४०
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
(अस्तीन्द्रियविषयाणामादानादेयभावतोऽवश्यम् ।
માંર રૂવાવાતા, લોઢે સંવંશજ-લોહાનામ્ ॥)
ગાથાર્થ - ઈન્દ્રિયો અને વિષયોનો આદાન-આર્દયભાવ હોવાથી અવશ્ય કોઈક આદાતા છે. જેમ સાંડસો અને લોખંડનો આદાતા લુહાર છે તેમ. ૧૫૬૮
ગણધરવાદ
વિવેચન - ત્રીજું અનુમાન જણાવે છે કે પકડવાના સાધનને આવાન કહેવાય છે અને પકડવા લાયક વસ્તુને આવેય કહેવાય છે. આ બન્ને જ્યાં જ્યાં હોય છે ત્યાં ત્યાં તેનો કર્તા પણ કોઈક હોય જ છે. તે કર્તાને આવાતા કહેવાય છે. જેમકે લોઢાને પકડવા
જે સાંડસો છે તે આદાન છે. જે લોઢું છે તે આદેય છે. આ બન્નેમાં જ્યારે આદાનઆદેયભાવ આવે છે. એટલે કે સાંડસા વડે લોઢું પકડાય છે ત્યારે તેનો કોઈક આદાતા (કર્તા) પણ અવશ્ય હોય જ છે. જેમકે લુહાર. અર્થાત્ લુહાર કર્તા હોય તો જ સાંડસા વડે લોઢું પકડાય છે. અન્યથા સાંડસા વડે લોઢું પકડાતું નથી. તેવી રીતે આ શરીરમાં જે પાંચ ઈન્દ્રિયો છે તે વિષયોને જાણવાનું સાધન છે એટલે આદાન છે અને રૂપ-રસગંધ-સ્પર્શ અને શબ્દ આમ જે પાંચ વિષયો છે તે આદેય છે. આ રીતે આ બન્ને વચ્ચે આદાન-આદેય ભાવ છે. તેથી કોઈક તે બન્નેનો આદાતા છે. એટલે કે ચક્ષુ દ્વારા રૂપને જોનારો, શ્રોત્ર દ્વારા શબ્દને સાંભળનારો, ઘ્રાણ દ્વારા ગંધને સુંઘનારો કોઈક આદાતા (કર્તા) અવશ્ય છે જ, આવો જે આદાતા = કર્તા છે તે જ આત્મા છે. જ્યાં જ્યાં આવા પ્રકારનો આદાન-આદેયભાવ હોતો નથી ત્યાં આદાતા (કર્તા) પણ હોતો નથી. જેમ કે આકાશ, સારાંશ કે આકાશ એ કોઈની પણ સાથે આદાન કે આઠેયભાવને પામતું નથી. માટે તેનો કર્તા પણ કોઈ નથી. આ રીતે ઈન્દ્રિયો અને વિષયોની વચ્ચે આદાનઆદેયભાવ હોવાથી તેના આદાતા તરીકે લુહારની જેમ આત્માની સિદ્ધિ થાય છે.
||૧૫૬૮॥
भोत्ता देहाईणं भोज्जत्तणओ नरोव्व भत्तस्स । संघायाइत्तणओ, अत्थि य अत्थी घरस्सेव ॥ १५६९॥
(भोक्ता देहादीनां भोग्यत्वतो नर इव भक्तस्य ।
सङ्घातादित्वतोऽस्ति चार्थी गृहस्येव ॥ )
ગાથાર્થ - જેમ ભોજન એ ભોગ્ય હોવાથી તેનો કોઈક ભોક્તા હોય છે તેમ દેહાદિ પણ ભોગ્ય હોવાથી તેનો કોઈક ભોક્તા છે. (જે ભોક્તા છે તે જીવ છે.) તથા શરીર