________________
૩૪૩
ગણધરવાદ
પાંચમા ગણધર - સૌધર્મ कारणसरिसं कजं, बीयस्सेवङ्करोत्ति मण्णंतो । इह भवसरिसं सव्वं, जमवेसि परे वि तमजुत्तं ॥१७७३॥ (कारणसदृशं कार्यं, बीजस्येवाङ्कर इति मन्यमानः । इहभवसदृशं सर्वं, यदवैषि परस्मिन्नपि तदयुक्तम् ॥)
ગાથાર્થ - કારણને અનુરૂપ કાર્ય હોય છે. જેવું બીજ હોય તેવો અંકુરો થાય છે આવું માનતા તમે પરભવમાં પણ આ જીવ આ ભવની સદેશ જ થાય છે એમ તમે સમજો છો. પરંતુ તમારું આ સમજવું અયુક્ત છે. /૧૭૦૩/l
વિવેચન - તમે તમારા મનમાં આવા વિચારો કરો છો કે જેવું કારણ હોય તેવું જ કાર્ય થાય. જેમ જવનાં બીજ હોય તો જવના જ અંકુરા ફુટે, ઘઉંના બીજમાંથી ઘઉં, બાજરીના બીજમાંથી બાજરી અને ગવારના બીજમાંથી ગવારના જ અંકુરા નીકળે છે. જેવું કારણ હોય તેવું જ કાર્ય થાય, કારણને અનુરૂપ જ કાર્યની ઉત્પત્તિ થાય. તેવી જ રીતે “આ ભવ એ બીજા ભવનું કારણ છે” અને બીજો ભવ એ આ ભવનું કાર્ય છે.” તેથી બીજા ભવમાં આ જીવ આ ભવના સંદેશ જ હોવો જોઈએ. આવું મનમાં વિચારતા તમે એમ વિચારો છો કે આ ભવમાં જે મનુષ્ય પુરુષ હોય છે તે ભવાન્તરમાં પણ પુરુષ જ થાય છે. સ્ત્રી હોય છે તે ભવાન્તરમાં પણ સ્ત્રી જ થાય છે. પશુ હોય છે તે ભવાન્તરમાં પણ પશું જ થાય છે. આ ભવ કારણ અને અન્ય ભવ કાર્ય છે. તેથી કારણને અનુરૂપ જ કાર્ય થાય છે. આવા પ્રકારનો વિચાર તમારા મનમાં પ્રવર્તે છે. પરંતુ આ વિચાર સારો નથી, અયુક્ત છે. ll૧૭૭૭ll
સુધર્મનો આ વિચાર (સંશય) અયુક્ત છે તે સમજાવતાં ભગવાન કહે છે - जाइ सरो सिंगाओ, भूतणओ सासवाणुलित्ताओ । संजायइ गोलोमाऽविलोमसंजोगओ दुव्वा ॥१७७४॥ इति रुक्खायुव्वेदे, जोणिविहाणे य विसरिसेहितो । दीसइ जम्हा जम्म, सुहम्म ! तो नायमेगंतो ॥१७७५ ॥ (जायते शरः शृङ्गाद् भूतृणकः सर्षपानुलिप्तात् । संजायते गोलोमाविलोमसंयोगतो दूर्वा ॥ इति वृक्षायुर्वेदे योनिविधाने च विसदृशेभ्यः । ડૂતે , સુથર્મન્ ! તો નાયમેન્તઃ )