________________
અગિયારમા ગણધર - પ્રભાસ
તેથી હમણાં જ ૧૯૯૪ મી ગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું હતું કે “ન હિ ખાંતરામાં ગુત્તે નમસોલ્વ નીવત્ત' જેમ આકાશ જડભાવમાંથી ચેતનભાવને પામવારૂપ જાત્યન્તર પામતું નથી. તેમ આ જીવમાં પણ ચૈતન્યપણાને બદલે ચૈતન્યરહિતતાને (જડપણાને) પામવા સ્વરૂપ જાત્યન્તર ક્યારેય પણ ક્યાંય પણ થતું નથી. ૧૯૯૭॥
ગણધરવાદ
આ આત્મા “જ્ઞાનસ્વરૂપવાળો” છે એમ કેવી રીતે જાણવું ? આવા પ્રકારનો તમને પ્રશ્ન થાય તો તેનો ઉત્તર આ પ્રમાણે છે -
किह सो नाणसरूवो, नणु पच्चक्खाणुभूइओ नियए । परदेहम्मि वि गज्झो, स पवित्ति - निवित्तिलिंगाओ ॥१९९८ ॥
૫૯૩
(कथं स ज्ञानस्वरूपो ननु प्रत्यक्षानुभूतितो निजके । પવેહેપિ ગ્રાહ્યઃ, સ પ્રવૃત્તિ-નિવૃત્તિત્તિક઼ાત્ ॥)
ગાથાર્થ - તે જીવ જ્ઞાનસ્વરૂપ છે આમ કેવી રીતે જાણવું ? તો પ્રત્યક્ષ અનુભવથી જ પોતાના આત્મામાં આ જ્ઞાનસ્વરૂપતા જણાય છે. તથા પરના આત્મામાં હિતમાં પ્રવૃત્તિ અને અહિતથી નિવૃત્તિ કરવા રૂપ લિંગથી તે જ્ઞાનસ્વરૂપતા જણાય છે. ૧૯૯૮
વિવેચન - આ જીવ જ્ઞાનસ્વરૂપ છે એવું ઉપર કહેવામાં આવ્યું છે. તેથી જેમ પરમાણુ આદિ પુદ્ગલદ્રવ્ય મૂર્તભાવના સ્વરૂપવાળો છે. તેથી તે સ્વરૂપને છોડીને પરમાણુ આદિ દ્રવ્ય ક્યારેય પણ સંભવતાં નથી. તેમ જ્ઞાન એ જીવનું સ્વરૂપ હોવાથી જ્ઞાન વિનાનો જીવ હોતો નથી. આવું જે ઉપરની ૧૯૯૭મી ગાથામાં કહેવામાં આવ્યું છે. ત્યાં શંકા થાય છે કે “આ જીવ જ્ઞાનના સ્વરૂપવાળો છે” આ વાત કેવી રીતે સમજવી ? એવો નિર્ણય કેવી રીતે કરાય કે “જીવ જ્ઞાનાત્મક જ છે ?”
તેનો ઉત્તર એ છે કે “પોતાના શરીરમાં રહેલો પોતાનો આત્મા “જ્ઞાનસ્વરૂપ” છે આ વાત તો પ્રત્યક્ષ અનુભવથી જ જણાય છે. આપણા શરીરમાં કોઈ સોય લગાડે, ચપ્પુ મારે, અગ્નિનો સ્પર્શ કરાવે તો દુઃખનો અનુભવ સ્વયં થાય જ છે. તેવી જ રીતે કોઈ માલીશ કરે, અનુકૂળ પદાર્થનું વિલેપન કરે તો સુખનો અનુભવ પણ પ્રત્યક્ષ થાય જ છે. તથા પ્રશંસા અને નિંદા સાંભળતાં હર્ષ અને પીડા પ્રત્યક્ષ અનુભવાય જ છે. તથા ઈન્દ્રિયોનો વ્યવહાર વિરામ પામે તો પણ તે ઈન્દ્રિયો દ્વારા જોયેલો અર્થ સ્મરણમાં આવે જ છે. તથા ઈન્દ્રિયોનો વ્યાપાર હોય પણ અન્ય-મનસ્કતા હોય ત્યારે તે તે વિષયનો બોધ
થતો નથી. આ બધા ભાવો પ્રત્યક્ષ અનુભવાય જ છે અને “જીવ જ્ઞાનાત્મક છે” તેની નિશાની રૂપ છે.