Book Title: Gandharwad
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti
View full book text
________________
અગિયારમા ગણધર - પ્રભાસ
૫૯૭
હજુ પણ પ્રભાસજી મુક્તાત્માને “સુખાભાવ” છે આવું સમજીને પ્રભુને પ્રશ્ન કરે છે पुण्णापुण्णकयाई, जं सुहदुक्खाइं तेण तन्नासे । તનાસાઓ મુત્તો, નિમ્મુહ-તુવશ્ર્વો નહાવામં ૨૦૦૨॥ अहवा निस्सुह - दुक्खो नभं व देहेंदियादभावाओ । आधारो देहोच्चिय, जं सुहदुक्खोवलद्धीणं ॥२००३॥ (पुण्यापुण्यकृते यत्सुखदुःखे तेन तन्नाशे । तन्नाशाद् मुक्तो नि:सुख-दुःखो यथाकाशम् ॥
अथवा निःसुखदुःखो नभ इव देहेन्द्रियाद्यभावात् । आधारो देह एव यत् सुखदुःखोपलब्धीनाम् ॥)
ગણધરવાદ
ગાથાર્થ - સુખ અને દુઃખ એ પુણ્ય અને પાપના ઉદયજન્ય છે. જીવ જ્યારે મોક્ષે
જાય ત્યારે તે પુણ્ય અને પાપનો નાશ થતો હોવાથી સુખ-દુઃખનો પણ નાશ થવાથી આ આત્મા આકાશની જેમ સુખ-દુઃખ વગરનો જ સિદ્ધ થાય છે અથવા દેહ અને ઈન્દ્રિયોનો અભાવ હોવાથી જ આકાશની જેમ આ આત્મા સુખ-દુઃખ વિનાનો જ હોય છે. કારણ કે સુખ અને દુ:ખના અનુભવનો આધાર દેહ જ છે. ૨૦૦૨-૨૦૦૩/
વિવેચન - અત્યાર સુધી મોક્ષના આત્માને જ્ઞાનનો અભાવ છે અર્થાત્ અજ્ઞાનિત્વ છે આવા પ્રકારનો પ્રભાસજીનો જે પ્રશ્ન હતો તેની જ ચર્ચા કરી અને સિદ્ધ કર્યું કે મુક્તાત્માને જ્ઞાનાભાવ નથી પણ અનંત જ્ઞાન છે. આવરણ વિનાના દીપકની જેમ તથા વાદળ વિનાના સૂર્યની જેમ આ વાત પૂર્ણ કરીને હવે બીજી વાત શરૂ કરે છે.
પ્રભાસજી પરમાત્માને પ્રશ્ન કરે છે કે હે ભગવાન્ ! આ જીવને સુખ પુણ્યથી આવે છે અને દુઃખ પાપથી આવે છે. મોક્ષે જતા જીવને પુણ્યનો પણ ક્ષય થાય છે અને પાપનો પણ ક્ષય થાય છે. આ રીતે સુખ અને દુઃખના કારણભૂત એવા પુણ્ય અને પાપકર્મોનો નાશ થયે છતે તેના ફલભૂત એવા સુખ અને દુઃખનો પણ નાશ જ સંભવે છે. તેથી મોક્ષગત આત્માને સુખ અને દુઃખ એમ બન્નેનો અભાવ જ ઘટે છે. અનંત સુખ છે આમ કેમ કહેવાય ?
જેમ આકાશદ્રવ્ય જડ હોવાથી તેને પુણ્ય કે પાપ નથી. તેથી તેને પુણ્ય અને પાપના ફલરૂપ સુખ-દુઃખ પણ નથી. એમ મોક્ષના જીવને પણ પુણ્ય અને પાપ નામના કારણનો

Page Navigation
1 ... 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650