Book Title: Gandharwad
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 575
________________ ૫૫૦ દશમા ગણધર - મેતાર્ય ગણધરવાદ જનારો જીવ હતો તે વિજ્ઞાનથી અભિન્ન હોવાના કારણે વિજ્ઞાનની સાથે તે પણ ક્ષણવિનાશી થયો. તેથી પરભવ ઘટશે નહીં. હવે કદાચ આપશ્રી એવો બચાવ કરો કે જીવ એ વિજ્ઞાનથી ભિન્ન છે. તેથી વિજ્ઞાન ભલે અનિત્ય હોય (વિનશ્વરસ્વભાવી ભલે હોય) તો પણ તે વિજ્ઞાન જીવથી ભિન્ન છે. માટે આ આત્મા સ્વયં નિત્ય છે. તેથી પરલોકનો અભાવ થશે નહીં. આપનો આ બચાવ પણ વ્યાજબી નથી. જો આ જીવ વિજ્ઞાનથી ભિન્ન હોય તો અનભિજ્ઞ (જ્ઞાનરહિત-જડ એવો) જીવ થશે. જેમ આકાશ અથવા કાષ્ઠાદિ જ્ઞાનથી રહિત છે માટે અનભિજ્ઞ (જડ) છે તેમ આ આત્મા પણ જ્ઞાનરહિત માનવાથી આકાશ અને કાષ્ઠાદિની જેમ જડ થશે. આ રીતે આ આત્મા જડ થવાથી અને નિત્ય હોવાથી કર્મોનો કર્તા અને સુખ-દુઃખનો ભોક્તા ઘટશે નહીં. જેમ આકાશ જડ હોવાથી અને નિત્ય હોવાથી કર્તાભોક્તા નથી તેમ જીવ પણ કર્મોનો કર્તા અને સુખ-દુઃખાદિનો ભોક્તા રહેશે નહીં. વળી નિત્ય એવા આત્માને સુખ-દુઃખાદિનો કર્તા-ભોક્તા માનશો તો તે આત્મા નિત્ય હોવાથી સદા-સર્વકાલે તે કર્તૃત્વ અને ભોક્તત્વ માનવાનો પ્રસંગ આવશે. સુખનો ભોક્તા સદા સુખી જ રહેશે. દુઃખનો ભોક્તા સદા દુઃખી જ રહેશે. કારણ કે નિત્ય પદાર્થ હંમેશાં એકસ્વરૂપવાળો જ હોય છે. તથા કર્તૃત્વ અને ભોક્તત્વ ન ઘટવાથી પરલોક ઘટશે નહીં. આ રીતે પણ પરલોકનો અભાવ થશે. કર્તૃત્વ વિના પણ પરલોક માનવામાં આવે તો એટલે કે જેણે પરભવનું આયુષ્ય ન બાંધ્યું હોય તેનો પણ પરભવ સ્વીકારવામાં આવે તો સિદ્ધના જીવને પણ પરભવ માનવાની આપત્તિ આવે. તથા ભોક્તત્વ ધર્મ નથી તેથી પણ પરલોકનો અભાવ થશે. કારણ કે આ જીવ જો અભોક્તા છે તો અભોક્તા એવા જીવને પરલોકના હેતુભૂત એવા કર્મનું ભોક્તત્વ ઘટે નહીં તેથી પણ પરલોક નથી. વળી નીચેની યુક્તિથી પણ પરલોકનો અભાવ જણાય છે. તમે આ આત્માને જ્ઞાનથી અત્યન્ત ભિન્ન માન્યો છે. જ્ઞાનથી ભિન્ન હોવાના કારણે ઘટ-પટ અને કાષ્ઠની જેમ આ જીવ જડ થશે. અને જડ પદાર્થને પરભવગમનરૂપ સંસાર ઘટતો નથી.જે કારણથી આ જીવને સંસારીપણું (ગમનાગમનપણું) ઘટશે નહીં. કારણ કે પોતે સ્વયં અજ્ઞાનરૂપ છે, જડરૂપ છે. કાષ્ઠખંડની જેમ સંસારીપણું ઘટશે નહિ, તથા આ આત્મા અમૂર્ત હોવાથી આકાશની જેમ પણ સંસારી અવસ્થા ઘટશે નહીં. જેમ આકાશ અમૂર્ત હોવાથી સંસરણક્રિયા નથી તેમ આત્મા પણ અમૂર્ત હોવાથી સંસરણક્રિયા ઘટશે નહીં. આમ મેતાર્યજી પ્રશ્ન કરે છે. ૧૯૫૯-૧૯૬૦ની ઉપરના પ્રશ્નનો હવે પરમાત્મા શ્રી મહાવીરપ્રભુ ઉત્તર આપે છે

Loading...

Page Navigation
1 ... 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650