________________
D:/P1I/DHIRUBHAI/GANDHAR VAD/GANDHAR VAD-07.PM7 (WIN-98) (BUTTER - DT. 16-3-2009)
*.447
ગણધરવાદ
સાતમા ગણધર - મૌર્ય
૪૪૭
બોલાવીને ભગવાને શું કહ્યું? તે કહે છે - किं मण्णे अत्थि देवा, उयाहु नत्थित्ति संसओ तुज्झ । वेयपयाण य अत्थं, न याणसी तेसिमो अत्थो ॥१८६६॥ (किं मन्यसे सन्ति देवा उताहो न सन्तीति संशयस्तव । વેપાનાં વાર્થ, નાનાસિ તેષામયમર્થ: II)
ગાથાર્થ - હે મૌર્ય ! “દેવો છે કે દેવો નથી” આવી તમને શંકા છે. પરંતુ વેદપદોના અર્થ તમે જાણતા નથી. તે વેદપદોનો અર્થ આ પ્રમાણે છે. /૧૮૬૬ll
વિવેચન - મૌર્યજી ભગવાનને કંઈ પણ પૂછે તે પહેલાં જ ભગવાન સર્વજ્ઞ અને સર્વદર્શી હોવાથી તેમના મનના સંશયને જાણીને પૂછે છે કે હે મૌર્ય ! તમારા મનમાં પણ આવા પ્રકારનો સંશય છે કે “દેવો છે કે દેવો નથી”. અર્થાત્ દેવો ક્યાંય દૃષ્ટિગોચર થતા નથી. ઘણી સાધના-આરાધના કરવા છતાં આવતા નથી અને શાસ્ત્રોમાં જ્યાં ત્યાં દેવોના ઉલ્લેખો છે. તેથી શું દેવો ખરેખર હશે કે દેવો ખરેખર નથી. આમ તમારા મનમાં શંકા છે. વેદના પાઠો પણ બન્ને બાજુના તમને મળ્યા છે તે વેદના પાઠોના તમે તમારી બુદ્ધિ પ્રમાણે અર્થ કરો છો. તેથી તે સંશય મજબૂત બન્યો છે. પરંતુ તે વેદપાઠોના અર્થ તમે બરાબર જાણતા નથી. તે વેદપાઠો તથા તેના સાચા અર્થો આ પ્રમાણે છે.
“ Tષ વનનોડગ્ન નોર્વ છત્તિ” તથા “સપાન સોમં અમૃતા अभूम अगमन् ज्योतिरविदाम देवान्, किं नूनमस्मात् तृणवदरातिः किमु मूर्तिममृतमर्त्यस्य" તથા “ો નાનાતિ માયોપમન્ ર્વાનિ-યમ-વ-વેરાન્ !'
આ ત્રણે વેદપાઠો છે. આ ત્રણે વેદપાઠોના અર્થો તમારા મનમાં તમારી બુદ્ધિને અનુસાર આ પ્રમાણે પ્રવર્તે છે.
(૧) યજ્ઞ એ જ છે શસ્ત્ર જેને એવા તે આ યજમાન તુરત જ સ્વર્ગલોકમાં જાય છે. “યજ્ઞ એ જ દુરિતોનો (પાપોનો) નાશ કરવામાં સમર્થ હોવાથી શસ્ત્ર તુલ્ય છે.” તેથી યજ્ઞ છે શસ્ત્ર જેને એવા યજમાન યજ્ઞના પ્રભાવે સર્વ પાપોનો નાશ થવાથી સ્વર્ગલોકમાં જાય છે. આ પ્રથમ પાઠનો અર્થ છે અને તે “દેવો” છે. એમ દેવોના અસ્તિત્વને સૂચવે છે. સ્વર્ગલોકમાં યજમાન જાય છે એટલે દેવ થાય છે. આવો અર્થ થાય છે. (આમ તમે મનમાં વિચારો છો)
(૨) અમે સોમરસને (લતારસને) પીધો છે. તેનાથી અમે અમર થયા છીએ,