________________
૨૫O
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
(મનુભૂત-ઈ-સ્તિત-શ્રુત-પ્રવૃતિવિવાર-વતાડનૂપા | स्वप्नस्य निमित्तानि, पुण्यं पापञ्च नाभावः ॥)
ગાથાર્થ - અનુભવેલું, દેખેલું, વિચારેલું, સાંભળેલું, પ્રકૃતિનો વિકાર, દેવની પ્રસન્નતા, દેવની અપ્રસન્નતા, સજલપ્રદેશ, પુણ્યોદય અને પાપોદય આ સ્વપ્નનાં નિમિત્તો છે. તેથી સ્વપ્ન એ અભાવાત્મક વસ્તુ નથી. /૧૭૦૩/l
વિવેચન - સ્વપ્ન પણ અભાવાત્મક નથી. સ્વપ્નમાં જે કંઈ જણાય છે તે આ સંસારમાં સત્ = વિદ્યમાન છે. આ સંસારમાં જે કોઈ આકાશપુષ્પાદિની જેમ સર્વથા અસત્ છે, તેનાં સ્વપ્ન ક્યારેય પણ કોઈને પણ આવતાં નથી. નીચે જણાવેલાં સ્વપ્નપ્રાપ્તિનાં દસ નિમિત્તો છે. આ દસ નિમિત્તોમાંના કોઈપણ નિમિત્તે જીવને સ્વપ્ન આવે છે. સ્વપ્નમાં જે કંઈ જણાય છે તે ત્યાં વિદ્યમાન હોતું નથી. પણ સંસારમાં અવશ્ય વિદ્યમાન હોય છે અને જે હોય તેનું જ સ્વપ્ન આવે છે.
(૧) મનુભૂત = સ્વપ્ન વિનાના જાગૃતકાલમાં જે સ્નાન કરવા સ્વરૂપે, ભોજન કરવા સ્વરૂપે, વિલેપન કરવા સ્વરૂપે, કોઈ પણ ઈન્દ્રિયો દ્વારા જાણવા સ્વરૂપે પણ અનુભવેલું હોય છે. તે જ સ્વપ્નમાં આવે છે.
(૨) દૂE = સ્વપ્ન વિનાના જાગૃતકાલમાં જે હાથી-ઘોડા-માણસ-સૈન્ય-રાજા રાજમુગટ આદિ પદાર્થો નજરે નિહાળેલા હોય છે. સાક્ષાત્ ચક્ષુર્ગોચર કર્યા હોય છે તે જ સ્વપ્નમાં આવે છે.
(૩) વિન્તિ = સ્વપ્ન વિનાના જાગૃતકાલમાં જે વિચાર્યું હોય છે. જેમકે વૈભવ વિચાર્યો હોય, પત્નીનો લાભ વિચાર્યો હોય, કોઈ પ્રિય વ્યક્તિનું મીલન વિચાર્યું હોય તો તે ભાવો સ્વપ્નમાં આવે છે.
(૪) શ્રત = સ્વપ્ન વિનાના જાગૃતકાલમાં આગમવાચના દ્વારા અથવા શાસ્ત્રાભ્યાસ કરવા દ્વારા વારંવાર જે સાંભળેલું હોય તે સ્વપ્નમાં આવે છે. જેમકે સ્વર્ગ-નરક-મેરૂપર્વતઅઢીદ્વીપ-દેવ-નંદીશ્વરાદિ દ્વીપ વગેરે શાસ્ત્ર દ્વારા સાંભળેલાં છે માટે સ્વપ્ન આવે છે.
(૫) પ્રકૃત્તિવિક્ષર = વાયુ-પિત્ત અથવા કફ આદિના કારણે પ્રકૃતિમાં વિકાર થયો હોય તો તે વિકાર પણ સ્વપ્નનું કારણ બને છે.
(૬) તેવપ્રસનતા = કોઈ દેવ-દેવી આ જીવ ઉપર પ્રસન્ન થયાં હોય તો ઈચ્છાપૂર્તિ માટે સ્વપ્નનું નિમિત્ત બને છે.