________________
૩૮
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ છે. તેના ત્રણ ભેદ છે. અસિદ્ધ, અનૈકાન્તિક અને વિરુદ્ધ. કોઈ દર્શનકારોના મતે પાંચ પણ છે સત્યતિપક્ષ અને બાધિત એમ બે ઉમેરતાં કુલ પાંચ હેત્વાભાસ થાય છે.
(૧૩) જે હેતુ પક્ષમાં ન વર્તે તે અસિદ્ધ. જેમકે “સમુદ્રો વાન, ધૂમ” અહીં ધૂમ હેતુ સમુદ્રમાં નથી (માટે વહ્નિ સિદ્ધ ન થાય). આ અસિદ્ધ હેત્વાભાસ કહેવાય છે.
(૧૪) જે હેતુ સાધ્યની સાથે પણ હોય અને સાધ્યાભાવની સાથે પણ હોય અર્થાત્ સપક્ષ અને વિપક્ષ એમ બન્નેમાં હોય તે અનૈકાન્તિક હેત્વાભાસ કહેવાય છે. આ હેત્વાભાસને સવ્યભિચાર અથવા સાધારણ હેત્વાભાસ પણ કહેવાય છે. જેમકે “પર્વતો वह्निमान् प्रमेयत्वात्"
(૧૫) જે હેતુ સાધ્યની સાથે ન જ હોય, સાધ્યના અભાવમાં જ હોય તે હેતુને વિરુદ્ધ હેત્વાભાસ કહેવાય છે. જેમકે “પટો નિત્ય: તત્વત્'' અહીં કૃત્રિમત્વ હેતુ નિત્ય સાધ્યની સાથે વર્તતો નથી. પરંતુ નિયાભાવ એટલે સાધાભાવની સાથે વર્તે છે માટે વિરુદ્ધ હેત્વાભાસ છે.
(૧૬) જે પક્ષમાં સાધ્ય સાધવા માટે જે હેતુ આપ્યો હોય, તે જ પક્ષમાં તે જ સાધ્યનો અભાવ સાધી આપે તેવો વિરોધી બીજો હેતુ જો મળી આવે તો પ્રથમ હેતુને સમ્રતિપક્ષ હેત્વાભાસ કહેવાય છે. જેમકે “શબ્દ, નિત્ય, શ્રોત્રેન્દ્રિયગ્રાહ્યત્વોત્ બ્રિત્વવત્'' તેની સામે “શબ્દઃ નિત્યઃ, તત્વી, ઘટવ' આવા પ્રકારનું વિરોધી અનુમાન થઈ શકે છે. તેથી પ્રથમ હેતુ સત્યતિપક્ષ હેત્વાભાસ કહેવાય છે. આ હેત્વાભાસનું બીજું નામ પ્રકરણસમ હેત્વાભાસ પણ છે. વાસ્તવિકપણે આ હેત્વાભાસ અનૈકાન્તિકમાં સમાઈ જાય
(૧૭) જે પક્ષમાં જે સાધ્ય સાધતા હોઈએ તે જ પક્ષમાં તે જ સાધ્યનો અભાવ પ્રત્યક્ષાદિ બીજાં પ્રમાણોથી જણાતો જ હોય તો તે હેતુને બાધિત હેત્વાભાસ કહેવાય છે. જેમકે વહ્નિ: શીત: દ્રવ્યત્વીતુ નર્તવત્ આ અનુમાનમાં વહ્નિની શીતળતા સધાય છે. પરંતુ વહ્નિ ઉષ્ણ છે. આ જ્ઞાન સ્પાર્શનપ્રત્યક્ષાદિથી થાય છે. માટે દ્રવ્યવાન્ હેતુ બાધિત કહેવાય છે. આ હેત્વાભાસને જ કાલાત્યયાપદિષ્ટ પણ કહેવાય છે.
“અનુમાન” સંબંધી પારિભાષિક કેટલાક શબ્દોના અર્થોને જાણ્યા પછી હવે આપણે ગાથાના ભાવાર્થને જાણીએ.
“હણ્ય તિ વિધાતા, મામિપ્રતિનિયતાવારંવત્ ઘટવ'' આ શરીરનો કોઈક કર્તા છે. કારણ કે શરીર આદિવાળું છે અને તે શરીરના અમુક પ્રકારનો ચોક્કસ આકાર