________________
અર્થાત્ શાસ્ત્રને જે આગળ કરે છે, તે હકીકતમાં વીતરાગ પરમાત્માને જ આગળ કરે છે, જ્યાં વીતરાગ પરમાત્માને આગળ કરાય છે, ત્યાં નિશ્ચયથી સર્વ પ્રકારની સિદ્ધિઓ છે.
ચિંતનશક્તિ અને અપાર કરુણાષ્ટિનો સ્પષ્ટ ખ્યાલ આવે છે.
આત્મિક સાધનામાં પ્રેરક અને પૂરક પૂજ્ય પંન્યાસજી મહારાજની પ્રભાવક નિશ્રામાં રહેવા મારું મન ઘણા સમયથી અપાર કરુણાર્દષ્ટિ ઝંખી રહ્યું હતું. મારી આ ઝંખના વિ.સં. પરા વ્યસની શ્રી તીર્થંકર ૨૦૩૧ની સાલમાં પૂરી થઇ. જે ક્ષેત્રમાં પરમાત્માની આજ્ઞામાં પોતાના અહંને પૂરી થઇ તે ક્ષેત્ર હતું - એકાંત, શાંત, ઓગાલી નાંખનારા મહાત્મા પુરુષો દૂર-સાધનાને યોગ્ય રાતા મહાવીરજી તીર્થ. તે સમય ચૈત્ર માસની શાશ્વતી ઓળીનો. પૂ. પંન્યાસજી ભગવંતની પુણ્ય નિશ્રામાં ચાલતી શ્રી નવપદજીની આરાધનાના
સુદૂર રહ્યા-રહ્યા પણ ઉપકાર કરતા હોય છે. એ હકીકતમાં અખૂટ શ્રદ્ધા સાથે હું પણ ‘ધ્યાન વિચાર'ના વાંચન-મનનથી
ધન્ય પ્રસંગે પ્રાપ્ત થયેલા આ સુઅવસરથી મને અતીવ આનંદ થયો. પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં શ્રી નવપદજીની સુંદર આરાધના કરવા સાથે તેઓશ્રીના ગુણવૈભવનો વિશેષ પરિચય કરવાનો સોનેરી અવસર મળતા, તેઓશ્રીની સેવાનો વધુને વધુ લાભ લેવા મન સમુત્સુક બન્યું.
સહ ચાતુર્માસનો અપૂર્વ લાભ
ચૈત્રી ઓળીની આરાધના નિર્વિઘ્ને પૂર્ણ થયા પછી શેષ કાળમાં પણ તેઓશ્રીની સેવામાં રહેવાનો લાભ મળ્યો. એટલું જ નહિ, પણ ત્યાર પછી ૨૦૩૧નું ચાતુર્માસ બેડા (રાજસ્થાન)માં અને વિ.સં. ૨૦૩૨નું ચાતુર્માસ લુણાવા (રાજસ્થાન)માં તેઓશ્રીની પ્રભાવક નિશ્રામાં જ કરવાની અમૂલ્ય તક મળી.
થયેલી સ્ફુરણાઓ ક્ષેત્રથી સુદૂર રહેલા પૂજય પંન્યાસજી મહારાજને લખી જણાવતો અને કેટલીક અસ્પષ્ટ લાગતી બાબતો અથવા મારી શંકાઓ પણ લખી જણાવીને એના ખુલાસા પૂછાવતો. મેઘ જેવા પોતે મન મૂકીને વરસતા અર્થાત્ શીઘ્ર પ્રત્યુત્તર દ્વારા મારી આવી જિજ્ઞાસા અંગે આનંદ વ્યક્ત કરવા સાથે દરેક બાબતોના ખુલાસાઓ લખી મોકલતા. જેથી આરાધના તથા વાંચન લેખનાદિ કાર્યોમાં મને ખૂબ જ સરળથા રહેતી અને સહાય પણ મળતી. આ ગ્રંથના પ્રારંભમાં જ ધ્યાન વિચાર' સંબંધી કેટલીક બાબતોનું સ્પષ્ટીકરણ કરતો તેઓશ્રીનો એક પ્રેરણાત્મક પત્ર પ્રકાશિત કર્યો છે. જે વાંચવાથી તેઓશ્રીની આંતરિક સાધના, ઊંડી અનુપ્રેક્ષા, અલૌકિક
ધ્યાન વિચાર (સવિવેચન) ૭ ૧૭