________________
A
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત
રહીમ તેના ગામના એક મુખ્ય માણસ હતા. લેકે તેનું બહુ સન્માન કરતા. તે જ્યારે મરી ગમે ત્યારે ગામના લેકે ડરી જઇને પાસેના જંગલ તરફ નાસવા લાગ્યા. તે વખતના દસ્યનું વર્ણન કરવું અશક્ય છે. લાઠીબંધ લેકે ઉલ્લાસપૂર્વક ગામને લૂંટવા અને સળગાવવા લાગ્યા. જેટલું લૂંટી શકાયું તેટલું લૂંટી ગયા. જે લઈ જવાય તેવું ન હતું તેને આગમાં ફેંકયું અને જે સળગી શકે નહિ તેને પાણીમાં ફેંકી દીધું. જે વસ્તુ સામી આવી તેને નાશ કરી દીધો, જે માણસ સામો. થયો તેને માર્યો, સ્ત્રીઓ સુદ્ધાં બચવા ન પામી. જે જુવાન હતી તેમને કેદ કરવામાં આવી. રહીમની તે સ્ત્રી, બહેન વગેરે કોઈને ન છોડયાં. આ પ્રમાણે વિજય મેળવનાર મારેલ સાહેબના માણસ લૂંટેલી ચીજોને, સ્ત્રીઓને અને રહીમની લાશને પિતાની સાથે લઈ ગયા. જે ગામ અરુણોદય વખતે શાંતિપૂર્ણ, સુખી અને સમૃદ્ધ હતું તેજ બપોર સુધીમાં સ્મશાનથી પણ વધારે ખરાબ થઈ ગયું! આખા ગામમાં સ્ત્રીઓના હાહાકાર અને આર્તનાદ છવાઈ ગયા. કેટલાય કેસ દૂરથી સળગતાં ઘરોને. ધૂમાડે દેખાતો હતો. આ ઉત્પાતની ખબર બંકિમચંદ્ર પાસે પહોંચતાંજ તેઓ અસ્થિર થઈ ગયા. - બંકિમ બાબુ પિલીસને સાથે લઇને તેજ વખતે પંચક્યાસ કરવા ગયા. મરેલગંજમાં જઈને જોયું તે લેકે નાસી ગયા છે. એક વાત પહેલી લખવાની રહી ગઈ. લાઇટફટ નામના એક બીજા સાહેબ મૅરેલ સાહેબના ભાગીદાર હતા. બંકિમચંદ્રના પહોંચતા પહેલાંજ મેરેલ, હેલી અને લાઈટપુટ બધા નાસી ગયા. બંગાળી લઠધારીઓ પકડાયા. તેઓમાં દેલત ચોકીદારનું નામ ખાસ ઉલ્લેખ કરવા જેવું છે. બંકિમચંદ્ર હેલી સાહેબના નામનું વારંટ કાઢીને ગુન્હેગારને તપાસ માટે જેસર મોકલી દીધા-પિત કેસ ન ચલાવ્યો; કેમકે કાયદા પ્રમાણે પંચક્યાસ કરનાર કેસચૂકવી શકે નહિ.
આરોપીઓ સીધાદેર થઈ ગયા. ત્યાંના ફેંસલામાં દલિતને ફાંસીને હુકમ થયે; અને બાકીના ૨૪ માણસોને જન્મભર દેશનિકાલની સજા થઈ. સાહેબ લેક તે છુપાઈ ગયા હતા. સન. ૧૮૬૨ ના છેલ્લા ભાગમાં મૌરેલ અને લાઇટફુટ સાહેબ વિલાયત જતા રહ્યા. હેલી સાહેબ વેશ બદલીને, પિતાનું બીજું નામ પ્રસિદ્ધ કરીને નાસી છુટવાના પ્રયત્નમાજ હતા, પણ પોલીસે મુંબઈમાં પકડી લીધા. તેમણે બહુ દિવસ સુધી કેદખાનાની હવા ખાધી. અંતે સન ૧૮૬૩ ના ફેબ્રુઆરી માસમાં હાઈકેટમાંથી હેલી સાહેબ મુક્ત થયા. કેમકે તેને કોઈ ઓળખી શક્યું નહિ. વળી રહીમની લાશને પણ પત્તો લાગ્યો ન હતે.
સાહેબ લેક ભાગી ગયા હતા ત્યારે ખુલનામાં એવી અફવા ઉડી હતી કે બંકિમચંદ્રને મારી નાખવા માટે પ્રપંચ રચવામાં આવ્યો છે. જે બંકિમને મારી નાખશે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com