________________
પંદરમું :
બે ઘડી વાગ
(૩) મહાત્મા સ્થૂલભદ્ર, શ્રી સ્યુલિભદ્ર મુનિગણમાં શિરદાર જે, ચોમાસું આવ્યા કેશા આગાર જે, ચિત્રામણુશાળાએ તપ-જપ આદર્યા જે ૧૦ મુનિઓના સમૂહમાં શ્રેષ્ઠ એવા સ્થલભદ્ર પિતાની યોગસાધનાની કસોટી કરવા ચિરપરિચિત એવી કેશા નામની વેશ્યાને ત્યાં ચાતુર્માસ કરવા આવ્યા છે અને તેની અત્યંત કામે દીપક એવી ચિત્રામણુશાળામાં રહીને જપ-તપ કરવા લાગ્યા છે. તે સમયને આ પ્રસંગ છે.
કેશા ધીમી ચાલે ચાલતી ચિત્રામણુશાળામાં દાખલ થાય છે અને કહે છે –
આદરિયાં વ્રત આવ્યા છે અમ ગેહ , સુંદિર સુંદર ચંપકવણું દેહ જે,
અમ તુમ સરિખે મેળે આ સંસારમાં જે. ૨. મુનિરાજ ! તમે સાધુનાં વ્રત આદરીને અમારાં ગૃહ આવ્યા છે, પણ ચંપકની કળી જેવી આ અતિ કમનીય કાયાને ભૂલી ન જતા ! તમે પણ અનંગના અવતાર છો, એટલે મારે અને તમારે મેળાપ આ દુનિયામાં ભાગ્યે જ જોવામાં આવે તે વિરલ છે. તાત્પર્ય કે–તમે આ સાધુતાને છોડીને મારી સાથે કામસુખ ભેગવે અને મને સુખી કરે.
પરંતુ વેગના ઉચ્ચ આસન પર આરૂઢ થયેલા મહાત્મા લિભદ્રને એ વચનની કંઈ પણ અસર થતી નથી. તેઓ વૈરાગ્યપૂર્ણ વાણીમાં વદે છે