________________
ધર્મબોધ-ચંથમાળા
૪ર :
* પુષ્પ ભ્રષ્ટ કરી શકતા નથી, કારણ કે તે જાણે છે કે આજે નહિ તે કાલે, કાલે નહિ તે પરમ દિવસે, અથવા વરસે, બે વરસે, પાંચ વરસે કે પચીસ વરસે અથવા જન્મના અંતે કે જન્માંતરે પણ આ માર્ગ લીધા સિવાય મારે મોક્ષ થવાને નથી. | યોગસાધનાનું પાંચમું અંગ નિશ્ચય છે. નિશ્ચય એટલે દઢ સંકલ્પ. “હું તયામિ વાર્થ સાધવામ-કાં દેહ પડે છે ને કાં કાર્યસિદ્ધિ કરું છું' એવા વિચારને દઢ સંકલ્પ કહેવાય છે. જે કાર્ય શંકાશીલ વૃત્તિથી, અધકચરા મને કે
થયું તે પણ ઠીક અને ન થયું તે પણ ઠીક” એવી દ્વિધા વૃત્તિથી કરવામાં આવે છે, તેમાં દહાડો વળતું નથી, સિદ્ધિ થતી નથી. આ નિયમ જેટલા અંશે વ્યવહારમાં સાચે છે, તેટલા જ અંશે યોગસાધનામાં સાચે છે, બલકે તેમાં વ્યવહાર કરતાં પણ અધિક ઉપયોગી છે. જે સંગમ દેવના ઉપસર્ગોથી ભગવાન મહાવીર ચળી ગયા હતા તે કૈવલ્યની પ્રાપ્તિ કદિ પણ કરી શકત ખરા? જે મેઘમાળીએ ઉતારેલી અભૂતપૂર્વ આતથી શ્રી પાર્શ્વપ્રભુ ડરી ગયા હોત તે તેઓ પરમપદ પર પ્રતિષ્ઠિત થયા હોત ખરા? બાર બાર મહિના સુધી આહારપાણી ન મળવા છતાં યુગાદિદેવે પોતાની ગસાધના ચાલુ રાખી હતી અને તો જ તેઓ એનાં મીઠાં–મધુરાં ફળે મેળવી શક્યા હતા.
યેગનું છઠ્ઠું અંગ જનસંગપરિત્યાગ છે. અહીં જન શબ્દથી સામાન્ય જનતા કે સંસારના સુખભેગમાં મસ્ત બનેલા માનવીઓ અભિપ્રેત છે. “જે સંગ તે રંગ” એ ઉક્તિ, પ્રસિદ્ધ છે. યોગીઓના સમાગમમાં યોગની વાત ક઼રે છે અને