________________
પંદરમું: : ૪૯ :
બે ઘડી યોગ जस्स समाणिओ अप्पा, संजमे नियमे तवे । तस्स सामाइयं होइ, इइ केवलिभासियं ।। १॥
જેને આત્મા સંયમ, નિયમ અને તપમાં આવેલ હોય તેને સામાયિક થાય છે, એમ કેવલિ ભગવતએ કહેલું છે.
जो समो सबभृएसु, तसेसु थावरेसु य । तस्स सामाइयं होई, इइ केवलिभासियं ॥१॥
વસ અને સ્થાવર એવા સર્વ જીવો પ્રત્યે જે સમદષ્ટિવાળો છે, તેને સામાયિક થાય છે, એમ કેવલિ ભગવતેએ કહ્યું છે. | સામાયિકને શબ્દાર્થ પણ એ જ વાત કહે છે. સામાયિક શદ સમાયનું તદ્ધિતરૂપ છે. હવે સમાય શદ સમ અને આય એ બે પદેને બનેલું છે. તેમાં સમને અર્થ સમભાવ, સમત્વ, સમતા કે રાગદ્વેષ રહિત સ્થિતિ છે અને આયને અર્થ લાભ કે ગમન છે. એટલે જે ક્રિયાથી વિષમભાવમાં રહેલ આત્મ સમભાવ, સમત્વ, સમતા કે રાગદ્વેષ રહિતતા પ્રત્યે જાય તે સામાયિક છે.
“સામાયિકથી ખરેખર શું અભિપ્રેત હતું?” તે જણાવવા માટે તેમણે કહ્યું છે કે
सामाइयं समइयं, सम्मवाओ समास संखेवो । अणवजं च परिणा, पञ्चक्खाणे य ते अट्ठा ॥१॥ (૧) સામાયિક, (૨) સમયિક, (૩) સમવાદ, (૪)