________________
ધર્મબોધ-ગ્રંથમાળા
: ૫૦ :
: પુષ્પ
સમાસ, ( ૫ ) સંક્ષેપ, ( ૬ ) અનવદ્ય, (૭) રિજ્ઞા અને (૮) પ્રત્યાખ્યાન એ આઠ પર્યાંય શબ્દો છે.
આ દરેક શબ્દમાં રહેલ એક એક દૃષ્ટાંત આપ્યું છે, તે
રહસ્ય સમજાવવા માટે તેમણે આ પ્રમાણેઃ—
( ૧ ) સામાયિક,
[ રાગ અને દ્વેષને ત્યાગ
હુ પુરના રાજા દમદ્યંત ધીર, વીર અને પરાક્રમી હતા. તે એક વાર પેાતાના મિત્ર રાજાને મદદ કરવા ગયા, ત્યારે તેની ગેરહાજરીનો લાભ લઈને પાંડવ તથા કૌરવાએ તેના નગર પર ચડાઈ કરી અને તેને જીતી લીધું. આ સમાચાર મળતાં દમદ ́ત તાખડતાખ પાછે * અને પાંડવ–કૌરવના લશ્કર સામે વીરતાથી લડ્યો. પરિણામે પાંડવ–કોરવનું લશ્કર હાર્યું અને પેાતાનું નગર પાછું મેળવવામાં તે સફળ થયા. ત્યાર પછી ઘણાં વર્ષોં સુધી તેણે પેાતાની પ્રજાનુ પાલન કર્યું અને રાજ્યસુખને ઉપભાગ કર્યાં.
e.
હવે એક વાર તે પેાતાના મહેલમાં ઝરુખે બેસીને નગરચર્યાં જુએ છે, તેવામાં નિરભ્ર આકાશ વાદળાંથી છવાયું અને તેના વિવિધ રંગાએ અતિમનેાહર દૃશ્ય ખડું કર્યું. આ દૃશ્ય જોવામાં દમદતને ઘણા આનદ પડ્યો, પણ તે ક્ષણજીવી નીવડ્યો, કારણુ કે પવનના એક પ્રખલ સપાટે તે વાદળાને વેરિવખેર કરી નાખ્યા. આ નાનકડી ઘટનાએ દમદ તને ગભીર વિચારમાં મૂકી દીધાઃ · શું બધા સચેાગે આવા