________________
ધોધ-ગ્રંથમાળા
: ૬૦ :
ઃ પુષ્પ
કર્યું". આથી ધનસા વાડુ પાતાના ચારે પુત્રા તથા રાજના કેટલાક સૈનિકો સાથે તેની પછવાડે પડ્યા અને તેને કોઈ પશુ રીતે પકડી લેવાને જીવસટોસટ પ્રયત્ન કરવા લાગ્યા. એમ કરતાં તે ચિલાતીપુત્રની નજીકમાં આવી ગયા કે જેણે સુષુમાને પેાતાની ખાંધ પર ઉચકેલી હતી.
ચિલાતીપુત્ર સમજી ગયા હતા કે ધનસા વાહને પૈસાની કઇ પડી નહતી, પણ સુષુમાનું હરણ ખૂબ ખટકતું હતું, એટલે જ તેઓ આવા જોરદાર પીછા કરી રહ્યા હતા, એટલે તેમના પંજામાંથી છટકવા માટે તેણે સુષુમાનું મસ્તક તલવારના એક જ ઝટકે ઉડાવી દીધું અને તે મસ્તક હાથમાં લઈને ઢોડવા માંડયું.
ધનસા વાહે જોયુ કે જેને માટે પાતે આટલેા લાંખે પ્રવાસ કર્યાં હતા અને આટલી જહેમત ઉઠાવી હતી, તે પુત્રીના આખરે વધ થયા છે, એટલે તેમના પગ ઢીલા પડી ગયા અને ચિલાતીપુત્રને તેમના પંજામાંથી છટકવાના લાગ મળી ગયા.
ચિલાતીપુત્ર ભાગતા ભાગતા એક ધાર જંગલમાં આવી ચક્યો, જ્યાં મનુષ્યની વસતિ ભાગ્યે જ હતી. એક હાથમાં લાહીખરડી તરવાર છે, બીજા હાથમાં સુષુમાનું મસ્તક છે. ભૂખ તરસ ઘણી લાગી છે અને હવે પગની તાકાત પણ એસરવા માંડી છે. એવામાં એક મુનિને તપશ્ચર્યાં કરતા જોયા. એટલે ચિલાતીપુત્ર તેમની પાસે ગયા અને ઓલ્યા કે-હે મુનિ ! તમે મને ધર્મનું સ્વરૂપ સમાસથી ( ટૂંકમાં ) કહેા. જો નહિં કહા તે તમારું મસ્તક ઉડાવી દઈશ.