________________
ધર્મબોધ-ચથમાળા : દર :
* પુષ્પ શરીર ચાળણી જેવું થઈ ગયું, તે યે મહાત્મા ચિલાતીપુત્ર પિતાનું ધર્મધ્યાન ચૂક્યા નહિ. પરિણામે તેઓ આરાધના કરી સ્વર્ગસુખના અધિકારી બન્યા.
અહીં મહાત્મા ચિલાતીપુત્ર ઉપશમ, વિવેક અને સંવરની જે સાધના કરી તે સમાસ જાણ.
(૫) સક્ષેપ.
[ સર્વ શાને સાર ] એક શહેરમાં ચાર પંડિતે રહેતા હતા. તેમાં પહેલો આયુર્વેદમાં નિષ્ણાત હતા, બીજે ધર્મશાસ્ત્રમાં વિશારદ હતું, ત્રી નીતિશાસ્ત્રમાં નિપુણ હતું અને એ કામશાસ્ત્રમાં પારંગત હતું. આ ચારે પંડિતએ પિતપોતાના વિષયને એક મહાગ્રંથ રચવાનો નિર્ણય કર્યો અને તે અનુસાર એક એક લાખ શ્લોકની રચના કરી. પછી તેઓ જિતશત્રુ નામે રાજા પાસે ગયા અને કહ્યું: “હે રાજન ! અમે આ મહાગ્રંથની રચના કરી છે, તે તમે સાંભળે.”
રાજાએ કહ્યું: “કેટલા પ્રમાણ છે?” પંડિતોએ કહ્યું: ‘દરેક ગ્રંથ લાખ કપ્રમાણ છે.”
રાજાએ કહ્યું: “એટલા મોટા ગ્રંશે સાંભળવા બેસું તે મારું બધું કામ રખડી જાય.”
પંડિતાએ કહ્યું: “તે એને પચીસ-પચીશ હજાર શ્લેકપ્રમાણ બનાવી દઈએ.”