________________
ધમબોષગ્રંથમાળા : ૮૦ : સુમતિનાથ, પદ્મપ્રભ, સુપાર્શ્વનાથ અને ચંદ્રપ્રભને હું વંદન કરું છું. ૨
શ્રી સુવિધિનાથ યા પુષ્પદંત, શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ તથા શાંતિનાથને હું વંદન કરું છું. ૩
શ્રી કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, નમિનાથ, અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ તથા વિદ્ધમાન(શ્રી મહાવીર)ને હું વંદન કરું છું. ૪
એવી રીતે મારા વડે વાયેલા, કમંપી કચરાથી મુક્ત અને ફરી અવતાર નહિ લેનારા વીસ તથા અન્ય જિનવર મારા પર પ્રસન્ન થાઓ. ૫
જેઓ લેકમાં ઉત્તમ સિદ્ધ છે અને જેઓ કેવડે કીર્તન કરાયેલા, વંદન કરાયેલા અને પૂજાએલા છે તેઓ મને આરોગ્ય, બોધિ અને સમાધિની ઉત્તરોત્તર વિકાસ પામતી સ્થિતિ આપે. ૬ | ચંદ્રો કરતાં વધારે નિર્મળ, આદિત્ય (સુર્ય) કરતાં વધારે પ્રકાશ કરનારા તથા સ્વયંભૂરમણ સમુદ્ર કરતાં વધારે ગંભીર એવા સિદ્ધ ભગવંતે મને સિદ્ધિ આપે.
આ રીતે ઈયપથ પ્રતિક્રમણ પૂરું કર્યા પછી મુહપત્તિ પડિલેહવામાં આવે છે અને એક પ્રણિપાત કરીને “સામાયિક” માં પ્રવેશ કરવા માટેની આજ્ઞા માગવામાં આવે છે. એ આજ્ઞા મળ્યા પછી બીજે એક પ્રણિપાત કરીને સામાયિકમાં સ્થિર થવાની આજ્ઞા માગવામાં આવે છે ને એ આજ્ઞા