________________
: ૫:
સામાયિક વ્રત
અથવા
બે ઘડીની યોગસાધના
સામાયિકરૂપ મહાયોગની સાધના ગૃહસ્થા પણ યથાશક્તિ કરી શકે, તે માટે સામાયિક નામના એક ખાસ વ્રતની ચેાજના થયેલી છે. શ્રાવકનાં ખાર વ્રતામાં તેનું સ્થાન નવમું છે અને ચાર પ્રકારનાં શિક્ષાવ્રતમાં તેનુ સ્થાન પહેલું છે. તેના પરિચય કરાવતાં નિગ્રંથ મહર્ષિઓએ કહ્યુ છે કે—
समता सर्वभूतेषु, संयमः शुभभावना । आर्त्तरौद्र परित्यागस्तद्धि सामायिकं व्रतम् ।। १ ।।
સર્વ પ્રાણીઓ પ્રત્યે સમભાવ, સયમ, શુભ ભાવના અને આર્ત્તધ્યાન તથા રૌદ્રધ્યાનના ત્યાગ એ સામાયિક વ્રતનુ રહસ્ય છે.