________________
ધ બોધ-ગ્રંથમાળા
: ૭૪ :
त्यक्तार्त्तरौद्रध्यानस्य त्यक्तसावद्यकर्मणः । समता या तां विदुः सामायिकं व्रतम् ॥ १ ॥ આત્ત અને રૌદ્રધ્યાન તથા સાવદ્ય કર્મના ત્યાગ કરી એક મુહૂર્ત એટલે બે ઘડી પ"ત સમતામાં રહેવુ' તે સામાયિક વ્રત કહેવાય છે.
આ વ્રત કરવાને વિધિ એવા છે કે-પ્રથમ શરીર, વસ્ર તથા ઉપકરણથી શુદ્ધ થવુ. ઉપકરણથી શુદ્ધ થવાના અથ એ છે કે—સામાયિક કરતી વખતે રજોહરણ (ચરવલા), મુહપત્તિ, કટાસણું (બેસવાનું આસન), માળા વગેરે જે જે સાધનાની જરૂર પડે છે, તે પ્રમાણેાપેત રાખવાં. પછી ત્યાગી ગુરુની સમીપે જવું અને તેવા યોગ ન હાય તે પાતાના ઘરના એકાંત ભાગમાં એસીને અથવા ઉપાશ્રયે જઇને ગુરુની સ્થાપના કરીને તેમની સમક્ષ સામાયિક કરવુ. ગુરુની સ્થાપનાને સ્થાપનાચાય કહેવામાં આવે છે. તેના વિધિ એવા છે કે ખાજોડી પ્રમુખ ઊંચા આસન પર જ્ઞાન, દર્શન કે ચારિત્રનું કોઇ પણ ઉપકરણ મૂકી જમણેા હાથ તેમની સમક્ષ રાખી નીચેનાં સૂત્રો ખેલવા ક ગુરુની ભાવના ભાવવી.
(૧) નમસ્કાર.
नमो अरिहंताणं ।
नमो सिद्धाणं ।
: પુષ્પ
नमो आयरियाणं ।
नमो उवज्झायाणं | नमो लोए सव्व साहूणं ॥