________________
પંદરમું : T: પપ :
બે ઘડી યોગ એવામાં કઈ કઠિયારણે ત્યાં આવીને લાકડાની ભારી પછાડી, તેના અવાજથી કચ પક્ષી ચમકીને ચરકી ગયું અને તેની ચરકમાં સેનાનાં બધાં જવલાં બહાર નીકળી પડ્યાં. આ દશ્ય જોતાં જ સનીને સાચી પરિસ્થિતિ સમજાઈ ગઈ અને પિતે એક નિર્દોષ મુનિની નાહક હત્યા કરી છે, એ ખ્યાલ આવી ગયે. આથી તે અત્યંત પશ્ચાત્તાપ કરવા લાગ્યો અને છેવટે મનના સમાધાન માટે તેમનાં જ એ-મુહપત્તિ ગ્રહણ કરીને પ્રવૃજિત થશે.
અહીં મેતારક મુનિએ સંયમ એટલે સર્વજ્ઞપ્રણીત શાસ્ત્ર અનુસાર અહિંસાધર્મનું જે પાલન કર્યું તે સમયિક જાણવું.
(૩) સમવાદ.
[ સત્ય] નહિ ધારેલું થાય છે, નહિ કપેલું બને છે. શું તુરુમિણ નગરીને કદરદાન રાજા કુંભે કદિ એવું ધાર્યું હશે ખરું કે જેને પિતે સામાન્ય પુરે હિતમાંથી મુખ્ય પ્રધાનની પદવી સુધી પહોંચાડે છે તે યજ્ઞદત્ત એક દિવસ દગો કરીને પિતાને જ કેદમાં પૂરશે અને રાજપાટ પડાવી લેશે? છતાં તેમ બન્યું હતું અને દગાખોર યજ્ઞદત્ત નિઃશંકપણે રાજ્ય ભગવતે હતે.
યજ્ઞદત્તને મૂળથી યજ્ઞ-યાગ પર વિશેષ શ્રદ્ધા હતી અને તેમાં રાજ્ય મળ્યું, એટલે તેણે પિતાના રાજ્યમાં ઠેર ઠેર ય કરાવવા માંડયા અને તેમાં હજારે નિર્દોષ પશુઓને હેમ થવા લાગે. સમજુ માણસને આ પ્રવૃત્તિ ગમતી નહતી,